નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતની કામગીરી આજ માટે રખાઈ મોકૂફ, સ્થાનિકોના વિરોધ સામે તંત્રને ઝૂકવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-02-16 11:25:02

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. ડિમોલીશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોરશોરથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂરુષોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. ભારે વિરોધ જોતા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.  


આજે થવાની હતી કપાતની કામગીરી 

નારણપુરામાં રોડને પહોળો કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા કપાતની કામગીરી કરવામાં આવવાની હતી. કપાત થવાની વાત મળતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન કરવા પહોંચી ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઘરે ઘરે બેનરો લગાવાયાં.



છેલ્લી ઘડીએ કામગીરી રખાઈ મોકૂફ 

વિરોધ કરવા સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે  ભેગા થયા હતા. કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકો દ્વારા કપાતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને અગવડ ના પડે તે માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું પરંતુ વિરોધને કારણે આ કામગીરીને એક દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે. જેને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.