નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતની કામગીરી આજ માટે રખાઈ મોકૂફ, સ્થાનિકોના વિરોધ સામે તંત્રને ઝૂકવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-02-16 11:25:02

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. ડિમોલીશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોરશોરથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂરુષોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. ભારે વિરોધ જોતા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.  


આજે થવાની હતી કપાતની કામગીરી 

નારણપુરામાં રોડને પહોળો કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા કપાતની કામગીરી કરવામાં આવવાની હતી. કપાત થવાની વાત મળતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન કરવા પહોંચી ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઘરે ઘરે બેનરો લગાવાયાં.



છેલ્લી ઘડીએ કામગીરી રખાઈ મોકૂફ 

વિરોધ કરવા સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે  ભેગા થયા હતા. કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકો દ્વારા કપાતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને અગવડ ના પડે તે માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું પરંતુ વિરોધને કારણે આ કામગીરીને એક દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે. જેને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.