નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતની કામગીરી આજ માટે રખાઈ મોકૂફ, સ્થાનિકોના વિરોધ સામે તંત્રને ઝૂકવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-02-16 11:25:02

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. ડિમોલીશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોરશોરથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂરુષોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. ભારે વિરોધ જોતા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.  


આજે થવાની હતી કપાતની કામગીરી 

નારણપુરામાં રોડને પહોળો કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા કપાતની કામગીરી કરવામાં આવવાની હતી. કપાત થવાની વાત મળતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન કરવા પહોંચી ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઘરે ઘરે બેનરો લગાવાયાં.



છેલ્લી ઘડીએ કામગીરી રખાઈ મોકૂફ 

વિરોધ કરવા સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે  ભેગા થયા હતા. કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકો દ્વારા કપાતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને અગવડ ના પડે તે માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું પરંતુ વિરોધને કારણે આ કામગીરીને એક દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે. જેને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.