માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિંત, કૃષિ મંત્રીનો દાવો 'ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું આપ્યું વળતર'


  • Published By :
  • Published Date : 2023-11-24 17:12:22

ગુજરાત પર આસમાની આફત તોળાઈ રહી છે જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં શિયાળુ પાકને જબરદસ્ત નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને આગોતરા પગલા લેવાની સુચના આપી છે. માર્કેટ યાર્ડોને વેપારીઓ તથા ખેડૂતોના કૃષિ પાકને તાડપત્રીથી ઢાંકવાની તાકીદ કરવામાં આવી છે. હવે આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યું છે. 


રાઘવજી પટેલે શું કહ્યું?


કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.


આ જિલ્લાઓમાં માવઠું


માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.