માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિંત, કૃષિ મંત્રીનો દાવો 'ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું આપ્યું વળતર'


  • Published By :
  • Published Date : 2023-11-24 17:12:22

ગુજરાત પર આસમાની આફત તોળાઈ રહી છે જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં શિયાળુ પાકને જબરદસ્ત નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને આગોતરા પગલા લેવાની સુચના આપી છે. માર્કેટ યાર્ડોને વેપારીઓ તથા ખેડૂતોના કૃષિ પાકને તાડપત્રીથી ઢાંકવાની તાકીદ કરવામાં આવી છે. હવે આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યું છે. 


રાઘવજી પટેલે શું કહ્યું?


કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.


આ જિલ્લાઓમાં માવઠું


માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી