યોગ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, મોત થતા પરિવારમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-03-09 09:53:25

હાર્ટ એટેક આવવાને કારણે નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મૃત્યુ પામે છે ત્યારે સુરતમાં એક વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. યોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


યોગ કરતા કરતા આવ્યું મોત 

ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈ સ્પોર્ટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેડમિન્ટન રમતા રમતા યુવકનું મોત થઈ ગયું હતું. તો તેની પહેલા ક્રિકેટ રમતા રમતા યુવક મરણ પામ્યો. ત્યારે સુરતમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

અનેક લોકો ફિટ રહેવા યોગ કરતા હોય છે. અનેક જગ્યાઓ પર યોગના ક્લાસ પણ ચાલતા હોય છે. ત્યારે સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગ કરવા અનેક લોકો આવતા હોય છે. મૃત્યુ પામનાર મુકેશભાઈ પણ યોગ કરવા સવારે ત્યાં આવ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને બેચેની થવા લાગી. થોડું સારૂ થયું તે બાદ તેમણે યોગ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા. અચાનક તેમની તબિયત બગડતા અને ઢળી પડતાં તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના આવા અચાનક મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.