યોગ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, મોત થતા પરિવારમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-03-09 09:53:25

હાર્ટ એટેક આવવાને કારણે નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મૃત્યુ પામે છે ત્યારે સુરતમાં એક વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. યોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


યોગ કરતા કરતા આવ્યું મોત 

ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈ સ્પોર્ટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેડમિન્ટન રમતા રમતા યુવકનું મોત થઈ ગયું હતું. તો તેની પહેલા ક્રિકેટ રમતા રમતા યુવક મરણ પામ્યો. ત્યારે સુરતમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

અનેક લોકો ફિટ રહેવા યોગ કરતા હોય છે. અનેક જગ્યાઓ પર યોગના ક્લાસ પણ ચાલતા હોય છે. ત્યારે સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગ કરવા અનેક લોકો આવતા હોય છે. મૃત્યુ પામનાર મુકેશભાઈ પણ યોગ કરવા સવારે ત્યાં આવ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને બેચેની થવા લાગી. થોડું સારૂ થયું તે બાદ તેમણે યોગ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા. અચાનક તેમની તબિયત બગડતા અને ઢળી પડતાં તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના આવા અચાનક મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.