યોગ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, મોત થતા પરિવારમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-03-09 09:53:25

હાર્ટ એટેક આવવાને કારણે નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મૃત્યુ પામે છે ત્યારે સુરતમાં એક વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. યોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


યોગ કરતા કરતા આવ્યું મોત 

ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈ સ્પોર્ટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેડમિન્ટન રમતા રમતા યુવકનું મોત થઈ ગયું હતું. તો તેની પહેલા ક્રિકેટ રમતા રમતા યુવક મરણ પામ્યો. ત્યારે સુરતમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

અનેક લોકો ફિટ રહેવા યોગ કરતા હોય છે. અનેક જગ્યાઓ પર યોગના ક્લાસ પણ ચાલતા હોય છે. ત્યારે સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગ કરવા અનેક લોકો આવતા હોય છે. મૃત્યુ પામનાર મુકેશભાઈ પણ યોગ કરવા સવારે ત્યાં આવ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને બેચેની થવા લાગી. થોડું સારૂ થયું તે બાદ તેમણે યોગ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા. અચાનક તેમની તબિયત બગડતા અને ઢળી પડતાં તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના આવા અચાનક મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.