યોગ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, મોત થતા પરિવારમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-03-09 09:53:25

હાર્ટ એટેક આવવાને કારણે નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મૃત્યુ પામે છે ત્યારે સુરતમાં એક વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. યોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


યોગ કરતા કરતા આવ્યું મોત 

ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈ સ્પોર્ટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેડમિન્ટન રમતા રમતા યુવકનું મોત થઈ ગયું હતું. તો તેની પહેલા ક્રિકેટ રમતા રમતા યુવક મરણ પામ્યો. ત્યારે સુરતમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

અનેક લોકો ફિટ રહેવા યોગ કરતા હોય છે. અનેક જગ્યાઓ પર યોગના ક્લાસ પણ ચાલતા હોય છે. ત્યારે સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગ કરવા અનેક લોકો આવતા હોય છે. મૃત્યુ પામનાર મુકેશભાઈ પણ યોગ કરવા સવારે ત્યાં આવ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને બેચેની થવા લાગી. થોડું સારૂ થયું તે બાદ તેમણે યોગ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા. અચાનક તેમની તબિયત બગડતા અને ઢળી પડતાં તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના આવા અચાનક મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.