સોમનાથ મંદિર પરિસરમાં બની ચોરીની ઘટના, મંદરિના લોકરમાંથી ચોરાયો સામાન


  • Published By :
  • Published Date : 2022-12-27 16:16:08

રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક સ્થળો પર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ચોરી થવાની ઘટના સોમનાથ મંદિરમાં બની છે. સોમનાથ મંદિરના લોકરમાંથી પ્રવાસીએ જમા કરાવેલી વસ્તુઓની ચોરી થઈ છે. સામાનની ચોરી થતા પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે. 


મંદિરના લોકરમાંથી થઈ સામાનની ચોરી 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ, બેગ જેવા સામાનો સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શનાર્થીઓને સુવિધા રહે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્શનાર્થે ગયેલા રાહુલ નામ વ્યક્તિના સામાનની ચોરી લોકર રૂમમાંથી થઈ હતી. આ સામાનમાં 3 મોબાઈલ ફોન હતા, કેશ હતી, આઈડી હતા. 


પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

દર્શન કરવા જતા પહેલા રાહુલે પોતાનો સામાન લોકરમાં રાખ્યો હતો. પરંતુ દર્શન કરીને પરત જ્યારે સામાન લેવા ગયા ત્યારે તેમનો સામાન લોકરમાં ન હતો. લોકરમાંથી સામાનની ચોરી થતા આ અંગેની જાણકારી ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફોટેજ ચેક કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિરના લોકરમાંથી ચોરી થતા દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.