સોમનાથ મંદિર પરિસરમાં બની ચોરીની ઘટના, મંદરિના લોકરમાંથી ચોરાયો સામાન


  • Published By :
  • Published Date : 2022-12-27 16:16:08

રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક સ્થળો પર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ચોરી થવાની ઘટના સોમનાથ મંદિરમાં બની છે. સોમનાથ મંદિરના લોકરમાંથી પ્રવાસીએ જમા કરાવેલી વસ્તુઓની ચોરી થઈ છે. સામાનની ચોરી થતા પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે. 


મંદિરના લોકરમાંથી થઈ સામાનની ચોરી 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ, બેગ જેવા સામાનો સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શનાર્થીઓને સુવિધા રહે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્શનાર્થે ગયેલા રાહુલ નામ વ્યક્તિના સામાનની ચોરી લોકર રૂમમાંથી થઈ હતી. આ સામાનમાં 3 મોબાઈલ ફોન હતા, કેશ હતી, આઈડી હતા. 


પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

દર્શન કરવા જતા પહેલા રાહુલે પોતાનો સામાન લોકરમાં રાખ્યો હતો. પરંતુ દર્શન કરીને પરત જ્યારે સામાન લેવા ગયા ત્યારે તેમનો સામાન લોકરમાં ન હતો. લોકરમાંથી સામાનની ચોરી થતા આ અંગેની જાણકારી ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફોટેજ ચેક કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિરના લોકરમાંથી ચોરી થતા દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.