સોમનાથ મંદિર પરિસરમાં બની ચોરીની ઘટના, મંદરિના લોકરમાંથી ચોરાયો સામાન


  • Published By :
  • Published Date : 2022-12-27 16:16:08

રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક સ્થળો પર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ચોરી થવાની ઘટના સોમનાથ મંદિરમાં બની છે. સોમનાથ મંદિરના લોકરમાંથી પ્રવાસીએ જમા કરાવેલી વસ્તુઓની ચોરી થઈ છે. સામાનની ચોરી થતા પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે. 


મંદિરના લોકરમાંથી થઈ સામાનની ચોરી 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ, બેગ જેવા સામાનો સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શનાર્થીઓને સુવિધા રહે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્શનાર્થે ગયેલા રાહુલ નામ વ્યક્તિના સામાનની ચોરી લોકર રૂમમાંથી થઈ હતી. આ સામાનમાં 3 મોબાઈલ ફોન હતા, કેશ હતી, આઈડી હતા. 


પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

દર્શન કરવા જતા પહેલા રાહુલે પોતાનો સામાન લોકરમાં રાખ્યો હતો. પરંતુ દર્શન કરીને પરત જ્યારે સામાન લેવા ગયા ત્યારે તેમનો સામાન લોકરમાં ન હતો. લોકરમાંથી સામાનની ચોરી થતા આ અંગેની જાણકારી ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફોટેજ ચેક કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિરના લોકરમાંથી ચોરી થતા દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.