રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાઓ પર વરસતા માવઠાને કારણે ખેડૂતો થયા ચિંતિત! અમદાવાદ માટે ગરમીને લઈ કરાઈ છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-04-18 16:28:43

ઉનાળાના સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આાગાહી અનુસાર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના આઠ જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 


અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ અનુમાન લગાવ્યું હતું. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉનાળામાં વરસતા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થતું હોય છે. ખેડૂતોની હાલત એમ પણ કફોડી છે ત્યારે આ વરસતા વરસાદે તેમને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. 


આવનાર દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!

એક તરફ જ્યારે કમોસમી વરસાદની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમરેલીનું તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તેમજ આછા રંગના કપડા પહેરે તેવી સલાહ આપવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે