રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાઓ પર વરસતા માવઠાને કારણે ખેડૂતો થયા ચિંતિત! અમદાવાદ માટે ગરમીને લઈ કરાઈ છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-04-18 16:28:43

ઉનાળાના સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આાગાહી અનુસાર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના આઠ જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 


અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ અનુમાન લગાવ્યું હતું. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉનાળામાં વરસતા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થતું હોય છે. ખેડૂતોની હાલત એમ પણ કફોડી છે ત્યારે આ વરસતા વરસાદે તેમને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. 


આવનાર દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!

એક તરફ જ્યારે કમોસમી વરસાદની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમરેલીનું તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તેમજ આછા રંગના કપડા પહેરે તેવી સલાહ આપવામાં આવી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.