રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાઓ પર વરસતા માવઠાને કારણે ખેડૂતો થયા ચિંતિત! અમદાવાદ માટે ગરમીને લઈ કરાઈ છે આગાહી!


  • Published By :
  • Published Date : 2023-04-18 16:28:43

ઉનાળાના સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આાગાહી અનુસાર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના આઠ જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 


અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ અનુમાન લગાવ્યું હતું. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉનાળામાં વરસતા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થતું હોય છે. ખેડૂતોની હાલત એમ પણ કફોડી છે ત્યારે આ વરસતા વરસાદે તેમને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. 


આવનાર દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!

એક તરફ જ્યારે કમોસમી વરસાદની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમરેલીનું તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તેમજ આછા રંગના કપડા પહેરે તેવી સલાહ આપવામાં આવી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.