અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં થઈ વરસાદની શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-30 10:36:41

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, પાલડી, રાયપુર, ખાડિયા, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

ઉનાળાના સમયમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનાર એક બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    


ગઈકાલે પણ વરસ્યો હતો કમોસમી વરસાદ 

મહત્વનું છે કે અમદાવાદ, મહીસાગ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સહાય ક્યારે અને કેટલી ચૂકવવામાં આવે છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે