અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં થઈ વરસાદની શરૂઆત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-30 10:36:41

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, પાલડી, રાયપુર, ખાડિયા, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

ઉનાળાના સમયમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનાર એક બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    


ગઈકાલે પણ વરસ્યો હતો કમોસમી વરસાદ 

મહત્વનું છે કે અમદાવાદ, મહીસાગ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સહાય ક્યારે અને કેટલી ચૂકવવામાં આવે છે.    



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.