અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં થઈ વરસાદની શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-30 10:36:41

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, પાલડી, રાયપુર, ખાડિયા, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

ઉનાળાના સમયમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનાર એક બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    


ગઈકાલે પણ વરસ્યો હતો કમોસમી વરસાદ 

મહત્વનું છે કે અમદાવાદ, મહીસાગ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સહાય ક્યારે અને કેટલી ચૂકવવામાં આવે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.