અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં થઈ વરસાદની શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-30 10:36:41

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, પાલડી, રાયપુર, ખાડિયા, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

ઉનાળાના સમયમાં વરસાદી માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનાર એક બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.    


ગઈકાલે પણ વરસ્યો હતો કમોસમી વરસાદ 

મહત્વનું છે કે અમદાવાદ, મહીસાગ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સહાય ક્યારે અને કેટલી ચૂકવવામાં આવે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.