દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 49 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-14 12:31:23

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે આજે 11 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. સાત મહિના બાદ કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 49 હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 49 હજાર 622 પર પહોંચી ગઈ છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ 

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસ પાંચ હજારની આસપાસ નોંધાયા હતા જે બાદ છ હજાર  કેસ નોંધાયા છે. બુધવારે 7 હજાર કેસ નોંધાયા છે. ગુરૂવારે 10 હજાર કેસ નોંધાયા છે. જ્યારે આજે તો 11 હજારને પાર કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 11,109 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 29 જેટલા લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં 49 હજારને પાર પહોંચી છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોના સંક્રમણને કારણે દેશમાં થયા છે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી આગળ હોય તો તે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો છે. કેરળમાં 3420 નવા કોરોનાના કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1115 નવા કેસ નોંધાયા છે. 642 કોરોનાના કેસ હરિયાણાથી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 442 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 417 કેસ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. ઉપરાંત કોરોનાને કારણે રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા આદેશ આપ્યો છે. ત્યારે લોકોએ પણ કોરોનાને લઈ સાવચેત રહેવું પડશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.