દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 49 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-14 12:31:23

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે આજે 11 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. સાત મહિના બાદ કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 49 હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 49 હજાર 622 પર પહોંચી ગઈ છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ 

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસ પાંચ હજારની આસપાસ નોંધાયા હતા જે બાદ છ હજાર  કેસ નોંધાયા છે. બુધવારે 7 હજાર કેસ નોંધાયા છે. ગુરૂવારે 10 હજાર કેસ નોંધાયા છે. જ્યારે આજે તો 11 હજારને પાર કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 11,109 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 29 જેટલા લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં 49 હજારને પાર પહોંચી છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોના સંક્રમણને કારણે દેશમાં થયા છે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી આગળ હોય તો તે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો છે. કેરળમાં 3420 નવા કોરોનાના કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1115 નવા કેસ નોંધાયા છે. 642 કોરોનાના કેસ હરિયાણાથી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 442 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 417 કેસ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. ઉપરાંત કોરોનાને કારણે રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા આદેશ આપ્યો છે. ત્યારે લોકોએ પણ કોરોનાને લઈ સાવચેત રહેવું પડશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.