દેશમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 49 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-14 12:31:23

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે આજે 11 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. સાત મહિના બાદ કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 49 હજારને પાર પહોંચી ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 49 હજાર 622 પર પહોંચી ગઈ છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ 

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસ પાંચ હજારની આસપાસ નોંધાયા હતા જે બાદ છ હજાર  કેસ નોંધાયા છે. બુધવારે 7 હજાર કેસ નોંધાયા છે. ગુરૂવારે 10 હજાર કેસ નોંધાયા છે. જ્યારે આજે તો 11 હજારને પાર કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં 11,109 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 29 જેટલા લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં 49 હજારને પાર પહોંચી છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોના સંક્રમણને કારણે દેશમાં થયા છે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

રાજ્યોમાં કોરોના કેસમાં સૌથી આગળ હોય તો તે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો છે. કેરળમાં 3420 નવા કોરોનાના કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1115 નવા કેસ નોંધાયા છે. 642 કોરોનાના કેસ હરિયાણાથી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 442 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 417 કેસ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. ઉપરાંત કોરોનાને કારણે રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા આદેશ આપ્યો છે. ત્યારે લોકોએ પણ કોરોનાને લઈ સાવચેત રહેવું પડશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.