ગુજરાત હવામાન વિભાગે કહ્યું નવરાત્રિ દરમિયાન વરસાદ વરસી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 16:39:40

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે પરંતુ નવરાત્રિના સમયમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ રહેશે તો ખેલૈયાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડશે. 


હવામાન વિભાગની માછીમારોને આગાહી 

ભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગે માછીમારોને જાણકારી આપી હતી. ગુજરાત હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી હતી કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે માછીમારી કરવા ના જાય. 


વરસાદ તમારી નવરાત્રિ બગાડી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર બાદ સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ 2022 રહેશે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડે તેવી સંભાવના છે. 


કેટલા શહેરોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદથી 24 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 124 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"