ગુજરાત હવામાન વિભાગે કહ્યું નવરાત્રિ દરમિયાન વરસાદ વરસી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 16:39:40

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે પરંતુ નવરાત્રિના સમયમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ રહેશે તો ખેલૈયાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડશે. 


હવામાન વિભાગની માછીમારોને આગાહી 

ભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગે માછીમારોને જાણકારી આપી હતી. ગુજરાત હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી હતી કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે માછીમારી કરવા ના જાય. 


વરસાદ તમારી નવરાત્રિ બગાડી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર બાદ સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ 2022 રહેશે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડે તેવી સંભાવના છે. 


કેટલા શહેરોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદથી 24 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 124 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.