ગુજરાત હવામાન વિભાગે કહ્યું નવરાત્રિ દરમિયાન વરસાદ વરસી શકે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 16:39:40

ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે પરંતુ નવરાત્રિના સમયમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ રહેશે તો ખેલૈયાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડશે. 


હવામાન વિભાગની માછીમારોને આગાહી 

ભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગે માછીમારોને જાણકારી આપી હતી. ગુજરાત હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી હતી કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે માછીમારી કરવા ના જાય. 


વરસાદ તમારી નવરાત્રિ બગાડી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બર બાદ સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ 2022 રહેશે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડે તેવી સંભાવના છે. 


કેટલા શહેરોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદથી 24 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 124 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .