Gujaratની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ સરકાર... જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-11-25 15:10:59

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં બાળકો હોય છે તો શિક્ષકો નથી હોતા, જ્યાં બંને હોય છે ત્યાં શાળાની બિલ્ડીંગ જર્જરિત હોય છે. શિક્ષકોની શાળામાં ઘટ છે તેવી વાત તો અનેક વખત કરવામાં આવી છે. એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. તો બીજી તરફ જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી હતી. શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં શિક્ષકોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો.

પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત છે પરંતુ..!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને કાયમી ભરતી થાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી તેમજ કોંગ્રેસ પાર્ટી આવી હતી. ત્યારે વિદ્યા સહાયકની ભરતીને લઈ કોંગ્રેસે એક ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30 હજારથી વધારે શિક્ષકોની અછત છે તેમ છતાં રાજ્ય સરકારે માત્ર 2750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે. 


કાયમી શિક્ષકોની માગ સાથે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલાને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.