Sabarkathaમાં વિકાસના નામે કશું નથી આઝાદી બાદ અહીંયા રોડ જ નથી બન્યો! આ પરિસ્થિતિ અનેક વિસ્તારોની હશે....


  • Published By :
  • Published Date : 2023-11-03 10:55:36

વિકાસની મોટી મોટી વાતો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે એવી વાતો કરતા પહેલા તેમણે અંતરિયાળ વિસ્તારથી આવેલા દ્રશ્યોને જોઈ લેવા જોઈએ. ગુજરાતને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, વિશ્વભરમાં એવી વાતો કરાય છે કે તેવા ગુણગાન ગવાય છે કે જાણે ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા હોય. પરંતુ અનેક વીડિયો તેમજ અનેક કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે સરકારને વાસ્તવિક્તા બતાવવા માટે પૂરતા હોય છે. છોટાઉદેપુર તેમજ ડાંગથી તો આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં વિકાસની પોલ ખુલી જતી હોય છે. ત્યારે સાબરકાંઠાથી વીડિયો સામે આવ્યો છે જેમાં બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી સારવાર માટે લઈ જવાય છે.  પોશીના તાલુકાના ગુજરા કરમદી કળી વિસ્તારની ઘટના છે. 

પરિવારને બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને 5 કિમી ચાલવુ પડ્યું

સારા રસ્તા માટે પણ લોકો ઝંખી રહ્યા છે 

એક તરફ આપણે મેટ્રો ટ્રેનની અને બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ. તેના સપના જોઈએ છે તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામડામાં રહેતા લોકો તો સારા રસ્તા માટે ઝંખના કરી રહ્યા છે. આઝાદીના અનેક વર્ષો વીતિ ગયા, દેશ તેમજ રાજ્ય પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, સરકારની ભાષામાં કહીએ તો બુલેટગતિથી વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે..! પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના જ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જે વિકાસ માટે તરસી રહ્યા છે. બુલેટ કે મેટ્રો ટ્રેનની વાત તો દૂર પરંતુ ત્યાં તો હજી સારા રસ્તા પણ નથી પહોંચ્યા. સારા રસ્તા પણ નહીં પરંતુ સામાન્ય રોડ પણ નથી બન્યો. એક તરફ આપણે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ જ્યારે આદિવાસી અને છેવાડાના આ લોકો સુધી વિકાસનો વી પણ નથી પહોંચ્યો એ લોકો માટે વિકાસ શું છે તેની કોઈ પરિભાષા જ નથી કારણકે એ લોકો એ વિકાસ જોયો જ નથી.


આઝાદીના આટલા વર્ષો બાદ પણ નથી બદલાઈ પરિસ્થિતિ!

ગુજરાતના અનેક ગામડા એવા છે જ્યાં સામાન્ય અને મેઇન રસ્તા જ નથી.  વીડિયોમાં જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે સારા રસ્તા ન હોવાને કારણે વૃદ્ધને ઝોળી કરીને લઈ જવા પડે છે. ન માત્ર વૃદ્ધોને પરંતુ ગર્ભવતી મહિલાને પણ આવી જ પરિસ્થિતિથી અને આવી રીતે લઈ જવામાં આવે છે. આ ઘટનાની કરૂણ વાસ્તવિક્તાતો એ છે કે આઝાદી બાદથી આજ દિન સુધી આ વિસ્તારોમાં રોડ બન્યો નથી. તંત્રનો વિકાસ હજી પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકારના આરોગ્ય સેવાઓના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે કારણ કે આરોગ્ય સેવા પહોંચાડવા માટે રસ્તા તો હોવા જોઈએને. 


એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ગયો વ્યક્તિનો જીવ 

થોડા સમય પહેલા વાંસદાથી પણ એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયો વાંસદા પાસેના ખાટા આંબા ગામનો હતો. જ્યાં કોઈ રસ્તો જ નથી. વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાંજ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. આ તો એવા કિસ્સાઓની વાત કરી જે પ્રકાશમાં આવ્યા છે, શહેરમાં રહેતા લોકો માટે આવા દ્રશ્યો નવા હોઈ શકે પરંતુ ગામડામાં રહેતા લોકોને આવી પરિસ્થિતિનો સામનો પ્રતિદિન કરવો પડે છે. જે દ્રશ્યો જોઈને આપણને થાય કે આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે રહી શકે તેવી પરિસ્થિતિમાં આ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. 

દયાળુ સરકાર આ લોકો પર પણ થોડી દયા કરો!

આવા વીડિયો જોયા પછી પછી એવી જ વાત દિમાગ આવે કે સત્તાધીશોને આ કરૂણ દ્રશ્યો જોયા પછી કોઈ અસર થશે? તેમને આ લોકોની પીડા સમજાશે? બસ આ જ રીતે અનેક જિંદગીઓ કચડાઈ જાય છે સિસ્ટમની બેદરકારી અને કામચોરીના કારણે. જ્યારે માણસ એ ગામમાં રહે છે ત્યારે તે કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ સમસ્યાનો તેને સામનો કરવો પડે છે તે ત્યાં રહેતા લોકોને જ ખબર હોય... ત્યારે કહેવાની ઈચ્છા થાય કે હે દયાળુ સરકાર થોડી દયા આ લોકો પર પણ કરો! બીજી વાત પણ એમાં સામે આવી છે કે ત્યાં વસતા લોકોને પોતાની જગ્યા છોડવી નથી.  ડુંગરાળ વિસ્તારમાં વસતા લોકો આજે પણ એમની પરંપરા પ્રમાણે જીવન નિર્વાહ કરી રહ્યા છે અને ડુંગરો પર વસવામાં આ લોકો માને છે.!



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.