હજી પણ BBCની ઓફિસોમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ, સંપાદકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી


  • Published By :
  • Published Date : 2023-02-15 10:01:43

14 ફેબ્રુઆરીના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા બીબીસી એટલે કે બ્રિટિશ બોડ્રકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. દિલ્હી અને મુબંઈ ખાતે આવેલી ઓફિસમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક કલાકો વીતી ગયા પરંતુ ઈન્કમ ટેક્સ ની તપાસ હજી પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન સ્ટાફના ફોન તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા. ઓફિસમાં તપાસ કરવા પહોંચેલી ટીમના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશલન ટેક્સમાં ગેરરીતિઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ 19 કલાકથી બીબીસીની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 


ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત 

આ તપાસ અંગે બીબીસી પ્રેસની એક ટ્વિટ પણ સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે આયકર વિભાગ આ સમયે નવી દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસમાં છે અને આ તપાસમાં અમારા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે આજે એટલે 15 તારીખે પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગ 2012થી લઈ હજી સુધીના અકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે. 


રેડ બાબાતે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર   

થોડા સમય પહેલા બીબીસી દ્વારા ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીને કારણે બીબીસી ચર્ચામાં આવી હતી. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બીબીસીની ઓફિસમાં એકાએક તપાસ કરવામાં આવતા વિપક્ષ દ્વારા રેડને ડોક્યુમેન્ટરી સાથે જોડી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.