હજી પણ BBCની ઓફિસોમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ, સંપાદકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી


  • Published By :
  • Published Date : 2023-02-15 10:01:43

14 ફેબ્રુઆરીના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા બીબીસી એટલે કે બ્રિટિશ બોડ્રકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. દિલ્હી અને મુબંઈ ખાતે આવેલી ઓફિસમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક કલાકો વીતી ગયા પરંતુ ઈન્કમ ટેક્સ ની તપાસ હજી પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન સ્ટાફના ફોન તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા. ઓફિસમાં તપાસ કરવા પહોંચેલી ટીમના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશલન ટેક્સમાં ગેરરીતિઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ 19 કલાકથી બીબીસીની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 


ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત 

આ તપાસ અંગે બીબીસી પ્રેસની એક ટ્વિટ પણ સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે આયકર વિભાગ આ સમયે નવી દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસમાં છે અને આ તપાસમાં અમારા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે આજે એટલે 15 તારીખે પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગ 2012થી લઈ હજી સુધીના અકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે. 


રેડ બાબાતે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર   

થોડા સમય પહેલા બીબીસી દ્વારા ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીને કારણે બીબીસી ચર્ચામાં આવી હતી. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બીબીસીની ઓફિસમાં એકાએક તપાસ કરવામાં આવતા વિપક્ષ દ્વારા રેડને ડોક્યુમેન્ટરી સાથે જોડી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.