હજી પણ BBCની ઓફિસોમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ, સંપાદકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી


  • Published By :
  • Published Date : 2023-02-15 10:01:43

14 ફેબ્રુઆરીના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા બીબીસી એટલે કે બ્રિટિશ બોડ્રકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. દિલ્હી અને મુબંઈ ખાતે આવેલી ઓફિસમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક કલાકો વીતી ગયા પરંતુ ઈન્કમ ટેક્સ ની તપાસ હજી પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન સ્ટાફના ફોન તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા. ઓફિસમાં તપાસ કરવા પહોંચેલી ટીમના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશલન ટેક્સમાં ગેરરીતિઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ 19 કલાકથી બીબીસીની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 


ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત 

આ તપાસ અંગે બીબીસી પ્રેસની એક ટ્વિટ પણ સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે આયકર વિભાગ આ સમયે નવી દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસમાં છે અને આ તપાસમાં અમારા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે આજે એટલે 15 તારીખે પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગ 2012થી લઈ હજી સુધીના અકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે. 


રેડ બાબાતે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર   

થોડા સમય પહેલા બીબીસી દ્વારા ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીને કારણે બીબીસી ચર્ચામાં આવી હતી. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બીબીસીની ઓફિસમાં એકાએક તપાસ કરવામાં આવતા વિપક્ષ દ્વારા રેડને ડોક્યુમેન્ટરી સાથે જોડી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.