હજી પણ BBCની ઓફિસોમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ, સંપાદકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી


  • Published By :
  • Published Date : 2023-02-15 10:01:43

14 ફેબ્રુઆરીના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા બીબીસી એટલે કે બ્રિટિશ બોડ્રકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. દિલ્હી અને મુબંઈ ખાતે આવેલી ઓફિસમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક કલાકો વીતી ગયા પરંતુ ઈન્કમ ટેક્સ ની તપાસ હજી પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન સ્ટાફના ફોન તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા. ઓફિસમાં તપાસ કરવા પહોંચેલી ટીમના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશલન ટેક્સમાં ગેરરીતિઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ 19 કલાકથી બીબીસીની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 


ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત 

આ તપાસ અંગે બીબીસી પ્રેસની એક ટ્વિટ પણ સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે આયકર વિભાગ આ સમયે નવી દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસમાં છે અને આ તપાસમાં અમારા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે આજે એટલે 15 તારીખે પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગ 2012થી લઈ હજી સુધીના અકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે. 


રેડ બાબાતે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર   

થોડા સમય પહેલા બીબીસી દ્વારા ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીને કારણે બીબીસી ચર્ચામાં આવી હતી. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બીબીસીની ઓફિસમાં એકાએક તપાસ કરવામાં આવતા વિપક્ષ દ્વારા રેડને ડોક્યુમેન્ટરી સાથે જોડી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.