વાવની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનો ધૂંઆધાર પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-11-04 16:32:43

વાવની વિધાનસભાની ચૂંટણી જાણે આખા રાજ્યમાં હોય તેમ છવાયેલી છે.. હવે વટનો સવાલ બની છે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ માટે પણ... ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે... 13 તારીખે મતદાન થવાનું છે. 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે.. કોંગ્રેસ સહિતના તમામ અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.... જીતનો વિશ્વાસ સૌ કોઈને છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધનાધન એક પછી એક ગામમાં પ્રચાર કરી રહ્યાં છે... ગેનીબેનની સાથે રહીને આ પ્રચાર કેટલો રંગ લાવે છે એ સમય બતાવશે પણ મોટુ નિવેદન આપ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય છે જ નહીં....

કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? 

કોંગ્રેસના ઉમેદવાર વાવના માડકા ગામમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા હતા.. અને મોટુ નિવેદન આપતા કહ્યું કે, હાલની તારીખમાં આ વાવની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.. ભાજપ ક્યાંય હરિફાઈમાં છે જ નહીં... બીજુ બાજુ ભાજપે પણ પોતાના પક્ષે મોરચો ઉતાર્યો છે વાવની જનતાને પોતાની સમક્ષ કરવા માટે.... વાવ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે નુકસાન થાય છે તેનો પ્રશ્ન હોય આવા પ્રશ્નોના જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશું અ ને નિરાકરણ પણ લાવસુ જેની ખાતરી આપું છું. 



ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું?

વધુમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ હાલની હરિફાઈમાં કે ચિત્રમાં નથી. કોઈ ભાજપમાં વિચારતું હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું ચૂંટણીની હરીફાઈ બે પક્ષની જ રહેવાની છે. એક કોંગ્રેસની રહેવાની છે અને બીજી અપક્ષની રહેવાની છે. ભાજપ હરીફાઈમાં બે તાલુકામાં ક્યાંય છે જ નહીં. તમે બધા તમારા ગામડાઓમાં પણ દેખતા હશો આપ સૌને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ ક્યાંય વેચાય ન જાય એવું બધું ગામમાં કહેજો અને 13 તારીખે કોઈપણ કામ હોય એક દિવસ મારા માટે મહેનત કરજો એવી વિનંતી કરું છું.



ગેનીબેન ઠાકોરની સીટ ખાલી થતા યોજાવાની છે ચૂંટણી

મહત્વનું છે કે વાવ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે... ગેનીબેન ઠાકોર પહેલા વાવના ધારાસભ્ય હતા પરંતુ સાંસદ તરીકે તે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ચાલી પડી છે જેને કારણે ત્યાં હવે પેટા ચૂંટણી થવાની છે.. કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે અંતિમ સમય સુધી બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ના હતા.. ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું અને તે બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરના નામની ઘોષણા કરી... બંને પાર્ટી ઉમેદવારના પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વાવની જનતા કોના પર પસંદગી ઉતારે છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.