વાવની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનો ધૂંઆધાર પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-11-04 16:32:43

વાવની વિધાનસભાની ચૂંટણી જાણે આખા રાજ્યમાં હોય તેમ છવાયેલી છે.. હવે વટનો સવાલ બની છે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ માટે પણ... ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે... 13 તારીખે મતદાન થવાનું છે. 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે.. કોંગ્રેસ સહિતના તમામ અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.... જીતનો વિશ્વાસ સૌ કોઈને છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધનાધન એક પછી એક ગામમાં પ્રચાર કરી રહ્યાં છે... ગેનીબેનની સાથે રહીને આ પ્રચાર કેટલો રંગ લાવે છે એ સમય બતાવશે પણ મોટુ નિવેદન આપ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય છે જ નહીં....

કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? 

કોંગ્રેસના ઉમેદવાર વાવના માડકા ગામમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા હતા.. અને મોટુ નિવેદન આપતા કહ્યું કે, હાલની તારીખમાં આ વાવની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.. ભાજપ ક્યાંય હરિફાઈમાં છે જ નહીં... બીજુ બાજુ ભાજપે પણ પોતાના પક્ષે મોરચો ઉતાર્યો છે વાવની જનતાને પોતાની સમક્ષ કરવા માટે.... વાવ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે નુકસાન થાય છે તેનો પ્રશ્ન હોય આવા પ્રશ્નોના જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશું અ ને નિરાકરણ પણ લાવસુ જેની ખાતરી આપું છું. 



ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું?

વધુમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ હાલની હરિફાઈમાં કે ચિત્રમાં નથી. કોઈ ભાજપમાં વિચારતું હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું ચૂંટણીની હરીફાઈ બે પક્ષની જ રહેવાની છે. એક કોંગ્રેસની રહેવાની છે અને બીજી અપક્ષની રહેવાની છે. ભાજપ હરીફાઈમાં બે તાલુકામાં ક્યાંય છે જ નહીં. તમે બધા તમારા ગામડાઓમાં પણ દેખતા હશો આપ સૌને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ ક્યાંય વેચાય ન જાય એવું બધું ગામમાં કહેજો અને 13 તારીખે કોઈપણ કામ હોય એક દિવસ મારા માટે મહેનત કરજો એવી વિનંતી કરું છું.



ગેનીબેન ઠાકોરની સીટ ખાલી થતા યોજાવાની છે ચૂંટણી

મહત્વનું છે કે વાવ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે... ગેનીબેન ઠાકોર પહેલા વાવના ધારાસભ્ય હતા પરંતુ સાંસદ તરીકે તે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ચાલી પડી છે જેને કારણે ત્યાં હવે પેટા ચૂંટણી થવાની છે.. કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે અંતિમ સમય સુધી બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ના હતા.. ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું અને તે બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરના નામની ઘોષણા કરી... બંને પાર્ટી ઉમેદવારના પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વાવની જનતા કોના પર પસંદગી ઉતારે છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .