વાવની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનો ધૂંઆધાર પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-11-04 16:32:43

વાવની વિધાનસભાની ચૂંટણી જાણે આખા રાજ્યમાં હોય તેમ છવાયેલી છે.. હવે વટનો સવાલ બની છે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ માટે પણ... ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે... 13 તારીખે મતદાન થવાનું છે. 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે.. કોંગ્રેસ સહિતના તમામ અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.... જીતનો વિશ્વાસ સૌ કોઈને છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધનાધન એક પછી એક ગામમાં પ્રચાર કરી રહ્યાં છે... ગેનીબેનની સાથે રહીને આ પ્રચાર કેટલો રંગ લાવે છે એ સમય બતાવશે પણ મોટુ નિવેદન આપ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય છે જ નહીં....

કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? 

કોંગ્રેસના ઉમેદવાર વાવના માડકા ગામમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા હતા.. અને મોટુ નિવેદન આપતા કહ્યું કે, હાલની તારીખમાં આ વાવની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.. ભાજપ ક્યાંય હરિફાઈમાં છે જ નહીં... બીજુ બાજુ ભાજપે પણ પોતાના પક્ષે મોરચો ઉતાર્યો છે વાવની જનતાને પોતાની સમક્ષ કરવા માટે.... વાવ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે નુકસાન થાય છે તેનો પ્રશ્ન હોય આવા પ્રશ્નોના જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશું અ ને નિરાકરણ પણ લાવસુ જેની ખાતરી આપું છું. 



ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું?

વધુમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ હાલની હરિફાઈમાં કે ચિત્રમાં નથી. કોઈ ભાજપમાં વિચારતું હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું ચૂંટણીની હરીફાઈ બે પક્ષની જ રહેવાની છે. એક કોંગ્રેસની રહેવાની છે અને બીજી અપક્ષની રહેવાની છે. ભાજપ હરીફાઈમાં બે તાલુકામાં ક્યાંય છે જ નહીં. તમે બધા તમારા ગામડાઓમાં પણ દેખતા હશો આપ સૌને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ ક્યાંય વેચાય ન જાય એવું બધું ગામમાં કહેજો અને 13 તારીખે કોઈપણ કામ હોય એક દિવસ મારા માટે મહેનત કરજો એવી વિનંતી કરું છું.



ગેનીબેન ઠાકોરની સીટ ખાલી થતા યોજાવાની છે ચૂંટણી

મહત્વનું છે કે વાવ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે... ગેનીબેન ઠાકોર પહેલા વાવના ધારાસભ્ય હતા પરંતુ સાંસદ તરીકે તે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ચાલી પડી છે જેને કારણે ત્યાં હવે પેટા ચૂંટણી થવાની છે.. કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે અંતિમ સમય સુધી બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ના હતા.. ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું અને તે બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરના નામની ઘોષણા કરી... બંને પાર્ટી ઉમેદવારના પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વાવની જનતા કોના પર પસંદગી ઉતારે છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.