ગુજરાત ભાજપના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, રાજીનામાનો સ્વીકાર કરાતા સંગઠનનું કરાયું વિસર્જન


  • Published By :
  • Published Date : 2023-03-01 12:33:08

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિત જીત હાંસલ કરી છે. જીત હાંસલ થયા બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. 


સંગઠનમાં થઈ શકે છે મોટા પાયે ફેરફાર 

આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ પોતાના કબજે કરી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક શહેરના તેમજ જિલ્લા પ્રમુખ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને તેમના રાજીનામાનો સ્વીકાર સી.આર.પાટીલે કર્યો છે. ત્યારે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરાતા સમિતિનું વિસર્જન કરાયું છે. 


આ પહેલા વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું 

બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લા તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અને થોડા કલાકોમાં જ નવા પક્ષ પ્રમુખોની નિમણૂંક કરી દીધી હતી.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.