ગુજરાત ભાજપના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, રાજીનામાનો સ્વીકાર કરાતા સંગઠનનું કરાયું વિસર્જન


  • Published By :
  • Published Date : 2023-03-01 12:33:08

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિત જીત હાંસલ કરી છે. જીત હાંસલ થયા બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. 


સંગઠનમાં થઈ શકે છે મોટા પાયે ફેરફાર 

આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ પોતાના કબજે કરી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક શહેરના તેમજ જિલ્લા પ્રમુખ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને તેમના રાજીનામાનો સ્વીકાર સી.આર.પાટીલે કર્યો છે. ત્યારે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરાતા સમિતિનું વિસર્જન કરાયું છે. 


આ પહેલા વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું 

બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લા તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અને થોડા કલાકોમાં જ નવા પક્ષ પ્રમુખોની નિમણૂંક કરી દીધી હતી.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.