ગુજરાત ભાજપના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, રાજીનામાનો સ્વીકાર કરાતા સંગઠનનું કરાયું વિસર્જન


  • Published By :
  • Published Date : 2023-03-01 12:33:08

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિત જીત હાંસલ કરી છે. જીત હાંસલ થયા બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. 


સંગઠનમાં થઈ શકે છે મોટા પાયે ફેરફાર 

આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ પોતાના કબજે કરી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક શહેરના તેમજ જિલ્લા પ્રમુખ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને તેમના રાજીનામાનો સ્વીકાર સી.આર.પાટીલે કર્યો છે. ત્યારે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરાતા સમિતિનું વિસર્જન કરાયું છે. 


આ પહેલા વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું 

બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લા તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અને થોડા કલાકોમાં જ નવા પક્ષ પ્રમુખોની નિમણૂંક કરી દીધી હતી.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.