Gujarat BJP સંગઠનમાં મોટો ડખો પડ્યો! સી.આર.પાટીલને પદ પરથી હટાવવા ભાજપના નેતાએ કર્યો પ્રયાસ! જાણો જિનેન્દ્ર શાહ કેસમાં શું આવ્યો નવો વળાંક?


  • Published By :
  • Published Date : 2023-08-02 15:38:58

ભારતીય જનતા પાર્ટી જેનું નામ પડે એટલે બધા એમ કહે કે આ શિસ્ત બદ્ધ પાર્ટી છે. એવી પાર્ટી કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવાય તો નાના કાર્યકર્તા થી લઈને મોટા નેતા બધા સહકાર આપે. પણ એક બીજેપીમાં જુથવાદ થવા લાગે અને અધ્યક્ષ સી.આર. પાટિલ વિરુદ્ધ જ ભાજપના નેતા ષડયંત્ર કરે તો. અમે વાત કરી રહ્યા છીએ એક એવા વીડિયોની જે થોડા સમય પહેલા સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ સી.આર.પાટીલ પર આક્ષેપ લગાવ્યા હતા.   


જિનેન્દ્ર શાહે કર્યા સી.આર.પાટીલ પર ભ્રષ્ટાચારના આરોપ

ભાજપ પોતાની રણનીતિને લઈ હંમેશા વખાણ થાય છે. અને તેમાં પણ ચૂંટણી સમયે સી.આર.પાટીલ દ્વારા ઘડવામાં આવતી રણનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડાં સમય પહેલાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ 80 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવી ચાંઉ કરવાનો આક્ષેપ જિનેન્દ્ર શાહે કર્યો હતો. મામલો સામે આવતા રાજકોટના યુવક જિનેન્દ્ર શાહની સુરત પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 


સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં આવ્યું ગણપત વસાવા અને તેમના કાર્યકર્તાઓનું નામ!

વાત ત્યારે શરૂ થઈ જ્યારે જિનેન્દ્ર નામના યુવકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતો વીડિયો રીલીઝ કર્યાં. તે પછી દક્ષિણ ગુજરાતના ભાજપના જ કેટલાક લોકોએ તેનો સંપર્ક કરી પત્રિકાઓ છપાવી અને પાટીલ વિરુદ્ધ અપપ્રચાર શરૂ કર્યો. આ મુદ્દે ગણપત વસાવાનું નામ બહાર આવ્યું છે. આ મામલે તપાસ થવાની હજી હવે શરૂઆત થઈ છે. આગામી સમયમાં હજુ તો ઘણા બધા નેતાઓના નામ સામે આવી શકે છે. આ એ જ બધા નેતા છે જે રાહ જુવે છે કે crpatil ક્યારે અધ્યક્ષ પદથી રાજીનામું આપે અને એટલે જ અનેક વાર એવી અફવા પણ ફેલાવવામાં આવી છે કે સી.આર.પાટીલ પદ છોડી રહ્યા છે.

 

નામ સામે આવતા ગણપત વસાવાએ કરી સી.આર.પાટીલ સાથે વાત 

ગણપત વસાવાનું નામ બહાર આવતા ગણપત વસાવાએ કહ્યું કે પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી. તે બાદ મેં (ગણપત વસાવા) પાટીલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને જેની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી.


જિનેન્દ્રએ પોલીસને સોંપ્યા છે આ મામલે અનેક પૂરાવા 

આ સમગ્ર કેસમાં જિનેન્દ્રએ પોતે કરેલા આક્ષેપોને સાબિત કરવા માટે કેટલાંક દસ્તાવેજી પૂરાવા પોલીસને સોંપ્યા છે. આ પૂરાવાની તપાસ પણ પોલીસ કરી રહી છે. ત્યારે એ તપાસમાં પણ અનેક નામ સામે આવી શકે છે ભાજપમાં જુથવાદની આ ચરમશીમાં છે. 


થોડા સમય પહેલા જિનેન્દ્રએ વીડિયો કર્યો હતો જાહેર 

જિતેન્દ્રએ જે વીડિયો વાયરલ કર્યો હતો તેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે હું ભાજપના ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બે વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 2 વર્ષથી હું તેમની સાથે કામ કરી રહ્યો છું. મારું કામ પાર્ટીનું ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું છે. 2022 ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મને કામ આપ્યું હતું.  જેટલું થઇ શકે તેટલું પાર્ટી ફંડ ભેગું કરો. આ ચૂંટણી ખુબ જ ગંભીર ચુંટણી છે એટલે આ વખતે પાર્ટીને ફંડની સૌથી વધુ જરૂર છે. તેમાંથી 10 ટકા કમીશન તમને મળશે. જેથી મે સી.આર.પાટીલને 80 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરીને દીધું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.