Gujarat BJP સંગઠનમાં મોટો ડખો પડ્યો! સી.આર.પાટીલને પદ પરથી હટાવવા ભાજપના નેતાએ કર્યો પ્રયાસ! જાણો જિનેન્દ્ર શાહ કેસમાં શું આવ્યો નવો વળાંક?


  • Published By :
  • Published Date : 2023-08-02 15:38:58

ભારતીય જનતા પાર્ટી જેનું નામ પડે એટલે બધા એમ કહે કે આ શિસ્ત બદ્ધ પાર્ટી છે. એવી પાર્ટી કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવાય તો નાના કાર્યકર્તા થી લઈને મોટા નેતા બધા સહકાર આપે. પણ એક બીજેપીમાં જુથવાદ થવા લાગે અને અધ્યક્ષ સી.આર. પાટિલ વિરુદ્ધ જ ભાજપના નેતા ષડયંત્ર કરે તો. અમે વાત કરી રહ્યા છીએ એક એવા વીડિયોની જે થોડા સમય પહેલા સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ સી.આર.પાટીલ પર આક્ષેપ લગાવ્યા હતા.   


જિનેન્દ્ર શાહે કર્યા સી.આર.પાટીલ પર ભ્રષ્ટાચારના આરોપ

ભાજપ પોતાની રણનીતિને લઈ હંમેશા વખાણ થાય છે. અને તેમાં પણ ચૂંટણી સમયે સી.આર.પાટીલ દ્વારા ઘડવામાં આવતી રણનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડાં સમય પહેલાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ વિરુદ્ધ 80 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવી ચાંઉ કરવાનો આક્ષેપ જિનેન્દ્ર શાહે કર્યો હતો. મામલો સામે આવતા રાજકોટના યુવક જિનેન્દ્ર શાહની સુરત પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 


સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં આવ્યું ગણપત વસાવા અને તેમના કાર્યકર્તાઓનું નામ!

વાત ત્યારે શરૂ થઈ જ્યારે જિનેન્દ્ર નામના યુવકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતો વીડિયો રીલીઝ કર્યાં. તે પછી દક્ષિણ ગુજરાતના ભાજપના જ કેટલાક લોકોએ તેનો સંપર્ક કરી પત્રિકાઓ છપાવી અને પાટીલ વિરુદ્ધ અપપ્રચાર શરૂ કર્યો. આ મુદ્દે ગણપત વસાવાનું નામ બહાર આવ્યું છે. આ મામલે તપાસ થવાની હજી હવે શરૂઆત થઈ છે. આગામી સમયમાં હજુ તો ઘણા બધા નેતાઓના નામ સામે આવી શકે છે. આ એ જ બધા નેતા છે જે રાહ જુવે છે કે crpatil ક્યારે અધ્યક્ષ પદથી રાજીનામું આપે અને એટલે જ અનેક વાર એવી અફવા પણ ફેલાવવામાં આવી છે કે સી.આર.પાટીલ પદ છોડી રહ્યા છે.

 

નામ સામે આવતા ગણપત વસાવાએ કરી સી.આર.પાટીલ સાથે વાત 

ગણપત વસાવાનું નામ બહાર આવતા ગણપત વસાવાએ કહ્યું કે પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી. તે બાદ મેં (ગણપત વસાવા) પાટીલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને જેની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી.


જિનેન્દ્રએ પોલીસને સોંપ્યા છે આ મામલે અનેક પૂરાવા 

આ સમગ્ર કેસમાં જિનેન્દ્રએ પોતે કરેલા આક્ષેપોને સાબિત કરવા માટે કેટલાંક દસ્તાવેજી પૂરાવા પોલીસને સોંપ્યા છે. આ પૂરાવાની તપાસ પણ પોલીસ કરી રહી છે. ત્યારે એ તપાસમાં પણ અનેક નામ સામે આવી શકે છે ભાજપમાં જુથવાદની આ ચરમશીમાં છે. 


થોડા સમય પહેલા જિનેન્દ્રએ વીડિયો કર્યો હતો જાહેર 

જિતેન્દ્રએ જે વીડિયો વાયરલ કર્યો હતો તેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે હું ભાજપના ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બે વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 2 વર્ષથી હું તેમની સાથે કામ કરી રહ્યો છું. મારું કામ પાર્ટીનું ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું છે. 2022 ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મને કામ આપ્યું હતું.  જેટલું થઇ શકે તેટલું પાર્ટી ફંડ ભેગું કરો. આ ચૂંટણી ખુબ જ ગંભીર ચુંટણી છે એટલે આ વખતે પાર્ટીને ફંડની સૌથી વધુ જરૂર છે. તેમાંથી 10 ટકા કમીશન તમને મળશે. જેથી મે સી.આર.પાટીલને 80 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરીને દીધું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.