તલાટીની પરીક્ષામાં થયો છબરડો! વડોદરાની MS Universityમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોના ન લેવાયા થમ્બ ઈમ્પ્રેશન! આ મુદ્દે હસમુખ પટેલે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 18:34:16

7મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ તલાટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 123 જેટલા ઉમેદાવારોના થમ્બ ઈમ્પ્રેશન નથી લેવામાં આવ્યા. પોલિટેક્નિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાંથી થી આ ગંભીર ક્ષતિ સામે આવી છે. આ છબરડો સામે આવતા  હસમુખ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.     

એમ.એસ યુનિવર્સિટીમાં થયો છબરડો!

તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ગયા રવિવારે પૂર્ણ થઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. હસમુખ પટેલના શીરે આ પરીક્ષાની જવાબદારી હતી. નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વડોદરાથી તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક યુનિટમાં 123 ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં ન આવ્યા હતા. 15 વર્ગખંડમાંથી 8 વર્ગખંડમાં અંગૂઠાની ઈમ્પ્રેશન લેવામાં આવી ન હતી જ્યારે બાકીના 7 વર્ગખંડમાં ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ચેક કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના અંગે આઈપીએસ હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે. 


હસમુખ પટેલે આપ્યા તપાસના આદેશ!

આ મામલે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં પરંતુ બેદકરકારી હોય તેવું લાગે છે. તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે