તલાટીની પરીક્ષામાં થયો છબરડો! વડોદરાની MS Universityમાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોના ન લેવાયા થમ્બ ઈમ્પ્રેશન! આ મુદ્દે હસમુખ પટેલે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 18:34:16

7મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ તલાટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 123 જેટલા ઉમેદાવારોના થમ્બ ઈમ્પ્રેશન નથી લેવામાં આવ્યા. પોલિટેક્નિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાંથી થી આ ગંભીર ક્ષતિ સામે આવી છે. આ છબરડો સામે આવતા  હસમુખ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.     

એમ.એસ યુનિવર્સિટીમાં થયો છબરડો!

તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ગયા રવિવારે પૂર્ણ થઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. હસમુખ પટેલના શીરે આ પરીક્ષાની જવાબદારી હતી. નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વડોદરાથી તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક યુનિટમાં 123 ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં ન આવ્યા હતા. 15 વર્ગખંડમાંથી 8 વર્ગખંડમાં અંગૂઠાની ઈમ્પ્રેશન લેવામાં આવી ન હતી જ્યારે બાકીના 7 વર્ગખંડમાં ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ચેક કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના અંગે આઈપીએસ હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે. 


હસમુખ પટેલે આપ્યા તપાસના આદેશ!

આ મામલે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં પરંતુ બેદકરકારી હોય તેવું લાગે છે. તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.