દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરતા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી! ઘર્ષણ દરમિયાન કુસ્તીબાજો થયા ઈજાગસ્ત! વાંચો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-04 10:28:51

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. શાંતિથી હજી સુધી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા પરંતુ બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપીમાં અનેક કુ્સ્તીબાજો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયું ઘર્ષણ!

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના અધ્યક્ષ વિરૂદ્ધ  ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ ચરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. પરંતુ હજી સુધી અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ કુસ્તીબાજોએ ધરણા યથાવત રાખ્યા છે. ત્યારે બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમની સાથે મારપીટ કરી હતી ઉપરાંત ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા તે બાદ વિવાદ શરૂ થયો હતો. જ્યારે નેતાને રોકવામાં આવ્યા તે સમયે વિવાદ શરૂ થયો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.

    

પી.ટી ઉષાને કરવો પડ્યો હતો વિરોધનો સામનો!

આ હોબાળા દરમિયાન અનેક કુસ્તીબાજોને ઈજા પહોંચી હતી. વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી રડવા લાગ્યા. તે ઉપરાંત બજરંગ પૂનિયાએ પોતાના મેડલ ભારત સરકારને સોંપવાની વાત કરી હતી. મળતી માહિતી અનુસાર કુસ્તીબાજોએ પોલીસ પ્રોટેક્શન પણ પાછું આપી દીધું છે. તે ઉપરાંત જ્યારે પહેલવાનોના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે જ્યારે પી.ટી ઉષા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ લડાઈનો શું અંત આવે છે?      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.