દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરતા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી! ઘર્ષણ દરમિયાન કુસ્તીબાજો થયા ઈજાગસ્ત! વાંચો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-04 10:28:51

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. શાંતિથી હજી સુધી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા પરંતુ બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપીમાં અનેક કુ્સ્તીબાજો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયું ઘર્ષણ!

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના અધ્યક્ષ વિરૂદ્ધ  ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ ચરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. પરંતુ હજી સુધી અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ કુસ્તીબાજોએ ધરણા યથાવત રાખ્યા છે. ત્યારે બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમની સાથે મારપીટ કરી હતી ઉપરાંત ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા તે બાદ વિવાદ શરૂ થયો હતો. જ્યારે નેતાને રોકવામાં આવ્યા તે સમયે વિવાદ શરૂ થયો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.

    

પી.ટી ઉષાને કરવો પડ્યો હતો વિરોધનો સામનો!

આ હોબાળા દરમિયાન અનેક કુસ્તીબાજોને ઈજા પહોંચી હતી. વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી રડવા લાગ્યા. તે ઉપરાંત બજરંગ પૂનિયાએ પોતાના મેડલ ભારત સરકારને સોંપવાની વાત કરી હતી. મળતી માહિતી અનુસાર કુસ્તીબાજોએ પોલીસ પ્રોટેક્શન પણ પાછું આપી દીધું છે. તે ઉપરાંત જ્યારે પહેલવાનોના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે જ્યારે પી.ટી ઉષા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ લડાઈનો શું અંત આવે છે?      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.