લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર! જાણો કયા દિગ્ગજ નેતાના પુત્રએ કરી સી.આર.પાટીલ સાથે મુલાકાત કે બની ગઈ ન્યુઝ!


  • Published By :
  • Published Date : 2023-06-07 13:52:51

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ સાથેના મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યારે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 


ફૈઝલ પટેલે કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત! 

ચૂંટણી નજીક આવતા નેતાઓ એક બીજા સાથે મુલાકાત કરતા હોય છે. પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોય છે. અનેક નેતાઓ પાર્ટીને છોડે છે તો અનેક નેતાઓ પાર્ટીને જોઈન કરતા હોય છે. ત્યારે આજે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત અંગે ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ફૈઝલ પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો.


સી.આર.પાટીલ સાથે કરી ફૈઝલ પટેલે કરી બેઠક!

ચૂંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં દેખાતી હોય છે. રાજકીય સમીકરણો ચૂંટણી નજીક આવતા બદલાઈ જતા હોય છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. ત્યારે ત્રીજી વખત ભાજપ કેન્દ્રમાં આવે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. તે સિવાય સંગઠનને મજબૂત કરવા પર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે તે બધા વચ્ચે કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહમદ પટેલના પુત્રએ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે.           




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે