લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર! જાણો કયા દિગ્ગજ નેતાના પુત્રએ કરી સી.આર.પાટીલ સાથે મુલાકાત કે બની ગઈ ન્યુઝ!


  • Published By :
  • Published Date : 2023-06-07 13:52:51

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ સાથેના મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યારે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 


ફૈઝલ પટેલે કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત! 

ચૂંટણી નજીક આવતા નેતાઓ એક બીજા સાથે મુલાકાત કરતા હોય છે. પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોય છે. અનેક નેતાઓ પાર્ટીને છોડે છે તો અનેક નેતાઓ પાર્ટીને જોઈન કરતા હોય છે. ત્યારે આજે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત અંગે ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ફૈઝલ પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો.


સી.આર.પાટીલ સાથે કરી ફૈઝલ પટેલે કરી બેઠક!

ચૂંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં દેખાતી હોય છે. રાજકીય સમીકરણો ચૂંટણી નજીક આવતા બદલાઈ જતા હોય છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. ત્યારે ત્રીજી વખત ભાજપ કેન્દ્રમાં આવે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. તે સિવાય સંગઠનને મજબૂત કરવા પર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે તે બધા વચ્ચે કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહમદ પટેલના પુત્રએ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે.           




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.