લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર! જાણો કયા દિગ્ગજ નેતાના પુત્રએ કરી સી.આર.પાટીલ સાથે મુલાકાત કે બની ગઈ ન્યુઝ!


  • Published By :
  • Published Date : 2023-06-07 13:52:51

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ સાથેના મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યારે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 


ફૈઝલ પટેલે કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત! 

ચૂંટણી નજીક આવતા નેતાઓ એક બીજા સાથે મુલાકાત કરતા હોય છે. પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોય છે. અનેક નેતાઓ પાર્ટીને છોડે છે તો અનેક નેતાઓ પાર્ટીને જોઈન કરતા હોય છે. ત્યારે આજે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત અંગે ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ફૈઝલ પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો.


સી.આર.પાટીલ સાથે કરી ફૈઝલ પટેલે કરી બેઠક!

ચૂંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં દેખાતી હોય છે. રાજકીય સમીકરણો ચૂંટણી નજીક આવતા બદલાઈ જતા હોય છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. ત્યારે ત્રીજી વખત ભાજપ કેન્દ્રમાં આવે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. તે સિવાય સંગઠનને મજબૂત કરવા પર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે તે બધા વચ્ચે કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહમદ પટેલના પુત્રએ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે.           




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.