ઝઘડિયા બેઠક પર થશે પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ, કયા પક્ષથી છોટુ વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ તે સસ્પેન્સ યથાવત


  • Published By :
  • Published Date : 2022-11-13 13:32:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈ લગભગ દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં છોટુ વસાવાની એક પોસ્ટથી એકાએક ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાએ એવી પોસ્ટ કરી કે તે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. પરંતુ તે કયા પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે તે અંગે ટ્વિટમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

No description available.

કોના ચિન્હ સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં તે અસ્પષ્ટ 

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ કોણ ક્યાંથી લડશે તે અંગેની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.ચૂંટણીના માહોલ વચ્ચે ઝઘડિયા બેઠક ચર્ચામાં આવી છે. કારણ કે છોટુ વસાવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કાલે ઝઘડિયા માટે ઉમેદવારી નોંધાવાના છે તેવું લખવામાં આવ્યું છે. પરંતુ કઈ પાર્ટી તરફથી તે ચૂંટણી લડવાના છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 

પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે  ચૂંટણી - Hum-Dekhenge


પિતા-પુત્ર વચ્ચે થશે કાંટાની ટક્કર

જો છોટુ વસાવા ઝઘડિયા માટે પોતાની દાવેદારી નોંધાવશે તો આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ જામશે કારણ કે બીટીપી પાર્ટીના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્રએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુવસાવાને બદલે પોતાનું નામ જાહેર કરી દેતા પિતા સામે મોરચો માંડી દીધો છે. ત્યારે છોટુ વસાવાની આ પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેઓ કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી કર્યું.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"