ઝઘડિયા બેઠક પર થશે પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ, કયા પક્ષથી છોટુ વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ તે સસ્પેન્સ યથાવત


  • Published By :
  • Published Date : 2022-11-13 13:32:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈ લગભગ દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં છોટુ વસાવાની એક પોસ્ટથી એકાએક ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાએ એવી પોસ્ટ કરી કે તે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. પરંતુ તે કયા પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે તે અંગે ટ્વિટમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

No description available.

કોના ચિન્હ સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં તે અસ્પષ્ટ 

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ કોણ ક્યાંથી લડશે તે અંગેની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.ચૂંટણીના માહોલ વચ્ચે ઝઘડિયા બેઠક ચર્ચામાં આવી છે. કારણ કે છોટુ વસાવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કાલે ઝઘડિયા માટે ઉમેદવારી નોંધાવાના છે તેવું લખવામાં આવ્યું છે. પરંતુ કઈ પાર્ટી તરફથી તે ચૂંટણી લડવાના છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 

પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે  ચૂંટણી - Hum-Dekhenge


પિતા-પુત્ર વચ્ચે થશે કાંટાની ટક્કર

જો છોટુ વસાવા ઝઘડિયા માટે પોતાની દાવેદારી નોંધાવશે તો આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ જામશે કારણ કે બીટીપી પાર્ટીના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્રએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુવસાવાને બદલે પોતાનું નામ જાહેર કરી દેતા પિતા સામે મોરચો માંડી દીધો છે. ત્યારે છોટુ વસાવાની આ પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેઓ કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી કર્યું.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.