ઝઘડિયા બેઠક પર થશે પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ, કયા પક્ષથી છોટુ વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ તે સસ્પેન્સ યથાવત


  • Published By :
  • Published Date : 2022-11-13 13:32:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈ લગભગ દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં છોટુ વસાવાની એક પોસ્ટથી એકાએક ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાએ એવી પોસ્ટ કરી કે તે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. પરંતુ તે કયા પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે તે અંગે ટ્વિટમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

No description available.

કોના ચિન્હ સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં તે અસ્પષ્ટ 

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ કોણ ક્યાંથી લડશે તે અંગેની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.ચૂંટણીના માહોલ વચ્ચે ઝઘડિયા બેઠક ચર્ચામાં આવી છે. કારણ કે છોટુ વસાવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કાલે ઝઘડિયા માટે ઉમેદવારી નોંધાવાના છે તેવું લખવામાં આવ્યું છે. પરંતુ કઈ પાર્ટી તરફથી તે ચૂંટણી લડવાના છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 

પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે  ચૂંટણી - Hum-Dekhenge


પિતા-પુત્ર વચ્ચે થશે કાંટાની ટક્કર

જો છોટુ વસાવા ઝઘડિયા માટે પોતાની દાવેદારી નોંધાવશે તો આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ જામશે કારણ કે બીટીપી પાર્ટીના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્રએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુવસાવાને બદલે પોતાનું નામ જાહેર કરી દેતા પિતા સામે મોરચો માંડી દીધો છે. ત્યારે છોટુ વસાવાની આ પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેઓ કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી કર્યું.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.