ઝઘડિયા બેઠક પર થશે પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ, કયા પક્ષથી છોટુ વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ તે સસ્પેન્સ યથાવત


  • Published By :
  • Published Date : 2022-11-13 13:32:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈ લગભગ દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં છોટુ વસાવાની એક પોસ્ટથી એકાએક ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાએ એવી પોસ્ટ કરી કે તે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. પરંતુ તે કયા પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે તે અંગે ટ્વિટમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

No description available.

કોના ચિન્હ સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં તે અસ્પષ્ટ 

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ કોણ ક્યાંથી લડશે તે અંગેની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.ચૂંટણીના માહોલ વચ્ચે ઝઘડિયા બેઠક ચર્ચામાં આવી છે. કારણ કે છોટુ વસાવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કાલે ઝઘડિયા માટે ઉમેદવારી નોંધાવાના છે તેવું લખવામાં આવ્યું છે. પરંતુ કઈ પાર્ટી તરફથી તે ચૂંટણી લડવાના છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 

પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે  ચૂંટણી - Hum-Dekhenge


પિતા-પુત્ર વચ્ચે થશે કાંટાની ટક્કર

જો છોટુ વસાવા ઝઘડિયા માટે પોતાની દાવેદારી નોંધાવશે તો આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ જામશે કારણ કે બીટીપી પાર્ટીના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્રએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુવસાવાને બદલે પોતાનું નામ જાહેર કરી દેતા પિતા સામે મોરચો માંડી દીધો છે. ત્યારે છોટુ વસાવાની આ પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેઓ કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી કર્યું.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.