7 તારીખે Dediyapadaમાં Chaitar Vasavaના સમર્થનમાં જનસભા થશે?, Varsha Vasava કેમ રસ્તા પર ઉતર્યા?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:31:48

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ગમે ત્યાં હશે પરંતુ તે લોકસભાની ચૂંટણી લડશે. જન જન સુધી ચૈતર વસાવાએ શું કામ કર્યા તે પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડેડીયાપાડા ખાતે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે તેવી માહિતી સામે આવી છે.  

ચૈતર વસાવાના સમર્થકો કરી રહ્યા છે પ્રચાર 

વનકર્મીને માર મારવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ અનેક દિવસો સુધી ફરાર રહ્યા હતા. તે બાદ અચાનક ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે આપના નેતાઓ ત્યાં હાજર હતા અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમના સમર્થકો લોકો સુધી તેમના કામોને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપના ડેડીયાપાડાના પ્રભારીએ એસટી બસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પેમ્ફેલ્ટનું વિતરણ કર્યું છે જેમાં ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે દર્શાવવામાં આવ્યા. 


7 જાન્યુઆરીએ ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ

ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવવાના છે. 7 જાન્યુઆરીએ ડેડીયાપાડા બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જનસભાને કેજરીવાલ સંબોધિત કરવાના છે. ચૈતર વસાવાની બદલીમાં તેમના પત્ની વર્ષા વસાવા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષા વસાવા પણ આપના કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો મોકલાવ્યો.  


ઈડી ગમે ત્યારે કરી શકે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ!

એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે તેની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે તેવો દાવો આપના નેતાઓ કરી રહ્યા છે. ઈડી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્રણ વખત પાઠવવામાં આવેલી નોટિસ બાદ પણ અરવિંદ કેજરીવાલ જવાબ આપવા માટે હાજર ન થયા હતા. ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવશે કે પછી તેમની ધરપકડ થઈ ગઈ હશે?      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.