7 તારીખે Dediyapadaમાં Chaitar Vasavaના સમર્થનમાં જનસભા થશે?, Varsha Vasava કેમ રસ્તા પર ઉતર્યા?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:31:48

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ગમે ત્યાં હશે પરંતુ તે લોકસભાની ચૂંટણી લડશે. જન જન સુધી ચૈતર વસાવાએ શું કામ કર્યા તે પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડેડીયાપાડા ખાતે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે તેવી માહિતી સામે આવી છે.  

ચૈતર વસાવાના સમર્થકો કરી રહ્યા છે પ્રચાર 

વનકર્મીને માર મારવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ અનેક દિવસો સુધી ફરાર રહ્યા હતા. તે બાદ અચાનક ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે આપના નેતાઓ ત્યાં હાજર હતા અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમના સમર્થકો લોકો સુધી તેમના કામોને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપના ડેડીયાપાડાના પ્રભારીએ એસટી બસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પેમ્ફેલ્ટનું વિતરણ કર્યું છે જેમાં ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે દર્શાવવામાં આવ્યા. 


7 જાન્યુઆરીએ ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ

ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવવાના છે. 7 જાન્યુઆરીએ ડેડીયાપાડા બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જનસભાને કેજરીવાલ સંબોધિત કરવાના છે. ચૈતર વસાવાની બદલીમાં તેમના પત્ની વર્ષા વસાવા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષા વસાવા પણ આપના કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો મોકલાવ્યો.  


ઈડી ગમે ત્યારે કરી શકે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ!

એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે તેની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે તેવો દાવો આપના નેતાઓ કરી રહ્યા છે. ઈડી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્રણ વખત પાઠવવામાં આવેલી નોટિસ બાદ પણ અરવિંદ કેજરીવાલ જવાબ આપવા માટે હાજર ન થયા હતા. ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવશે કે પછી તેમની ધરપકડ થઈ ગઈ હશે?      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.