7 તારીખે Dediyapadaમાં Chaitar Vasavaના સમર્થનમાં જનસભા થશે?, Varsha Vasava કેમ રસ્તા પર ઉતર્યા?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:31:48

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ગમે ત્યાં હશે પરંતુ તે લોકસભાની ચૂંટણી લડશે. જન જન સુધી ચૈતર વસાવાએ શું કામ કર્યા તે પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડેડીયાપાડા ખાતે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે તેવી માહિતી સામે આવી છે.  

ચૈતર વસાવાના સમર્થકો કરી રહ્યા છે પ્રચાર 

વનકર્મીને માર મારવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ અનેક દિવસો સુધી ફરાર રહ્યા હતા. તે બાદ અચાનક ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે આપના નેતાઓ ત્યાં હાજર હતા અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમના સમર્થકો લોકો સુધી તેમના કામોને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપના ડેડીયાપાડાના પ્રભારીએ એસટી બસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પેમ્ફેલ્ટનું વિતરણ કર્યું છે જેમાં ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે દર્શાવવામાં આવ્યા. 


7 જાન્યુઆરીએ ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ

ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવવાના છે. 7 જાન્યુઆરીએ ડેડીયાપાડા બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જનસભાને કેજરીવાલ સંબોધિત કરવાના છે. ચૈતર વસાવાની બદલીમાં તેમના પત્ની વર્ષા વસાવા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષા વસાવા પણ આપના કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો મોકલાવ્યો.  


ઈડી ગમે ત્યારે કરી શકે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ!

એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે તેની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે તેવો દાવો આપના નેતાઓ કરી રહ્યા છે. ઈડી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્રણ વખત પાઠવવામાં આવેલી નોટિસ બાદ પણ અરવિંદ કેજરીવાલ જવાબ આપવા માટે હાજર ન થયા હતા. ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવશે કે પછી તેમની ધરપકડ થઈ ગઈ હશે?      




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે