વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં જામશે ત્રિ-પાંખીયો જંગ, અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ભર્યું ઉમેદવારી ફોર્મ! ભાજપ અને કોંગ્રેસે આપી છે આમને ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-18 18:33:45

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે કારણ કે ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ગઈ છે ત્યારે વાઘોડિયા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળવાનો છે કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે દબંગ નેતાની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવએ આજે ઉમેદવારી નોંધાવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

Madhu shreevastav speak on congress MLA in vadodara | પક્ષપલટો કરનારા  હંમેશાં ઠેકાણે પડી જતા હોય છે: MLA મધુ શ્રીવાસ્તવ | Divya Bhaskar


6 ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું હતું.. આ ઓપરેશન અંતર્ગત બીજા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા..પક્ષપલટો કરનાર અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે... વિધાનસભા ચૂંટણી બાદ 6 બેઠકોના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમાં વિજાપુરના ધારાસભ્ય, પોરબંદરના ધારાસભ્ય, માણાવદરના ધારાસભ્ય, ખંભાતના ધારાસભ્ય તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ વિસાવદરના ધારાસભ્યનો સમાવેશ થાય છે.   

Article Content Image

લોકસભા ચૂંટણીની સાથે સાથે થવાની છે પેટા ચૂંટણી  

ધારાસભ્યએ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે... રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યો જોડાઈ ગયા.. ત્યારે ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પણ લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી યોજાવાની છે  ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં  આવી ગઈ છે. હજી સુધી આ બેઠકો પર  ત્રિ પાંખીયો જંગ નતો જામ્યો પરંતુ આજે વાઘોડિયાની બેઠક પર ત્રિ પાંખિયો જંગ જામ્યો છે કારણ કે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે... 


કોણ છે પેટા ચૂંટણી માટેના ઉમેદવાર?

જો પેટા ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ સી.જે.ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે દિનેશ પટેલને ટિકીટ આપી છે... પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે આ બેઠક પર રાજુ ઓડેદરાને ટિકીટ આપી છે... માણાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે અરવિંદ લાડાણીને તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તે ઉપરાંત ખંભાત પર ભાજપે ચિરાગ પટેલને જ્યારે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકીટ આપી છે. મહત્વનું છે કે વાઘોડિયા બેઠક પર ભાજપે ધર્મેન્દ્ર વાઘેલાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકીટ આપી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.