વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં જામશે ત્રિ-પાંખીયો જંગ, અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ભર્યું ઉમેદવારી ફોર્મ! ભાજપ અને કોંગ્રેસે આપી છે આમને ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-18 18:33:45

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.. વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે કારણ કે ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ગઈ છે ત્યારે વાઘોડિયા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળવાનો છે કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે દબંગ નેતાની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવએ આજે ઉમેદવારી નોંધાવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

Madhu shreevastav speak on congress MLA in vadodara | પક્ષપલટો કરનારા  હંમેશાં ઠેકાણે પડી જતા હોય છે: MLA મધુ શ્રીવાસ્તવ | Divya Bhaskar


6 ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું હતું.. આ ઓપરેશન અંતર્ગત બીજા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા..પક્ષપલટો કરનાર અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે... વિધાનસભા ચૂંટણી બાદ 6 બેઠકોના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમાં વિજાપુરના ધારાસભ્ય, પોરબંદરના ધારાસભ્ય, માણાવદરના ધારાસભ્ય, ખંભાતના ધારાસભ્ય તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ વિસાવદરના ધારાસભ્યનો સમાવેશ થાય છે.   

Article Content Image

લોકસભા ચૂંટણીની સાથે સાથે થવાની છે પેટા ચૂંટણી  

ધારાસભ્યએ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે... રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યો જોડાઈ ગયા.. ત્યારે ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પણ લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી યોજાવાની છે  ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં  આવી ગઈ છે. હજી સુધી આ બેઠકો પર  ત્રિ પાંખીયો જંગ નતો જામ્યો પરંતુ આજે વાઘોડિયાની બેઠક પર ત્રિ પાંખિયો જંગ જામ્યો છે કારણ કે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે... 


કોણ છે પેટા ચૂંટણી માટેના ઉમેદવાર?

જો પેટા ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ સી.જે.ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે દિનેશ પટેલને ટિકીટ આપી છે... પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે આ બેઠક પર રાજુ ઓડેદરાને ટિકીટ આપી છે... માણાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે અરવિંદ લાડાણીને તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તે ઉપરાંત ખંભાત પર ભાજપે ચિરાગ પટેલને જ્યારે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકીટ આપી છે. મહત્વનું છે કે વાઘોડિયા બેઠક પર ભાજપે ધર્મેન્દ્ર વાઘેલાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકીટ આપી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.