Gujaratમાં થશે વરસાદની જમાવટ! આગામી દિવસો દરમિયાન આ જિલ્લાઓમાં થશે વરસાદની એન્ટ્રી, Ambalal Patel અને હવામાન વિભાગે જણાવ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-09-06 12:47:45

ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયા બાદ લોકો તેમાં પણ ખાસ કરીને ખેડૂતો ચાતકનજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં વરસાદ ક્યારે આવશે તેને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે આગાહી કરવામાં આવી છે તેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉઠી છે. સપ્ટેમ્બરમાં મેઘમહેર જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંને દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



બિપોરજોય વાવાઝોડાની અસર પડી વરસાદી સિસ્ટમ પર 

એક સમય હતો જ્યારે ગુજરાતના અનેક ખુણાઓથી અનેક જિલ્લાઓથી સમાચાર આવતા હતા કે આ જગ્યા પર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, આ વિસ્તારમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે વગેરે...વગેરે... પરંતુ ઓગસ્ટ મહિના બાદ તો વરસાદની એન્ટ્રી જ નથી થઈ એવું લાગી રહ્યું છે. ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી ન હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ત્યારે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો  ચિંતિત બન્યા છે. જો વરસાદ નહીં આવે તો તેમનો પાક નિષ્ફળ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડા બાદ તો વરસાદની સિસ્ટમ એકદમ બદલાઈ ગઈ છે. હવામાનને લઈ રોજ નવા અપડેટ આવતા હોય છે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા  સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અમદાવાદમાં આ તારીખે પડશે વરસાદ 

તે સિવાય જૂનાગઢ, પોરબંદર, બોટાદ, દ્વારકા, દીવ,ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 8 તારીખ માટે કરવામાં આવેલી આગાહી મુજબ સુરત, ડાંગ. નવસારી, તાપી, દમણમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ 8 તારીખે અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે.     



અંબાલાલ કાકાએ જણાવ્યું આ જિલ્લાઓમાં થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ પણ વરસાદને લઈ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં તો વરસાદી માહોલ જામશે પરંતુ દેશના વિવિધ ભાગોમાં પણ વરસાદ સારો વરસી શકે છે તેવી આગાહી કરી છે. 


12 સપ્ટેમ્બર સુધી વરસાદને લઈ અંબાલાલ કાકાએ કરી આગાહી 

કાકાની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ તેમજ કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના સૌરાષ્ટ્રના ભાગોમાં 12 સપ્ટેમ્બર સુધીમાં મેઘમહેર જોવા મળી શકે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.