ફરી એક વખત આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ગરમી પડશે તો હવામાન નિષ્ણાતોએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-03-08 16:40:43

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે શિયાળાના અંતમાં પણ માવઠું આવ્યું હતું. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ લોકોને હેરાન કર્યા હતા અને શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેણે ખેડૂતોના બેહાલ કર્યા હતા. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે આવનાર દિવસોમાં માવઠું આવી શકે છે.   


હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મત અલગ અલગ!

આપણે ઠંડીની સિઝનમાંથી ગરમીની સિઝન તરફ આગળ વધી રહ્યા છીએ. હમાણાં જે સમય ચાલી રહ્યો છે તે બેવડી ઋતુવાળો છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આવનાર દિવસમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું કે કમોસમી વરસાદ આવનાર સમયમાં આવી શકે છે ઉપરાંત એવી પણ આગાહી કરી કે રાજ્યના અનેક ભાગોમાં કરા પણ પડી શકે છે.    



આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો! 

થોડા દિવસો પહેલા તાપમાનમાં એટલો વધારો થઈ ગયો હતો કે શિયાળામાં પણ બપોરના સમયે પંખો ચલાવવો પડતો હતો. તેને જોઈ લોકોને થઈ રહ્યું હતું કે હમણાં જો આ પરિસ્થિતિ છે તો ઉનાળામાં શું થશે? ગરમીમાં કેવો અહેસાસ થશે?. ત્યારે આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે હમણા વરસાદની કોઈ સંભાવના નથી. આવનાર પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે.   


અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે.. 

એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આવનાર દિવસોમાં ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યના હવામાનમાં ફરી એક વખત બદલાવ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ આવશે ઉપરાંત  કરા પડવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. 


માર્ચમાં આવી શકે છે માવઠું! 

અંબાલાલ કાકા ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આવા પ્રકારની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે. આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. આગાહી કરતા તેમણે કહ્યું કે 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. માવઠાને લઈ તેમણે કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.