ફરી એક વખત આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ગરમી પડશે તો હવામાન નિષ્ણાતોએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-03-08 16:40:43

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે શિયાળાના અંતમાં પણ માવઠું આવ્યું હતું. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ લોકોને હેરાન કર્યા હતા અને શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેણે ખેડૂતોના બેહાલ કર્યા હતા. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે આવનાર દિવસોમાં માવઠું આવી શકે છે.   


હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મત અલગ અલગ!

આપણે ઠંડીની સિઝનમાંથી ગરમીની સિઝન તરફ આગળ વધી રહ્યા છીએ. હમાણાં જે સમય ચાલી રહ્યો છે તે બેવડી ઋતુવાળો છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આવનાર દિવસમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું કે કમોસમી વરસાદ આવનાર સમયમાં આવી શકે છે ઉપરાંત એવી પણ આગાહી કરી કે રાજ્યના અનેક ભાગોમાં કરા પણ પડી શકે છે.    



આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો! 

થોડા દિવસો પહેલા તાપમાનમાં એટલો વધારો થઈ ગયો હતો કે શિયાળામાં પણ બપોરના સમયે પંખો ચલાવવો પડતો હતો. તેને જોઈ લોકોને થઈ રહ્યું હતું કે હમણાં જો આ પરિસ્થિતિ છે તો ઉનાળામાં શું થશે? ગરમીમાં કેવો અહેસાસ થશે?. ત્યારે આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે હમણા વરસાદની કોઈ સંભાવના નથી. આવનાર પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે.   


અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે.. 

એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આવનાર દિવસોમાં ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યના હવામાનમાં ફરી એક વખત બદલાવ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ આવશે ઉપરાંત  કરા પડવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. 


માર્ચમાં આવી શકે છે માવઠું! 

અંબાલાલ કાકા ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આવા પ્રકારની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે. આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. આગાહી કરતા તેમણે કહ્યું કે 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. માવઠાને લઈ તેમણે કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.