રાજ્યમાં હજી રહેશે ગરમીનું જોર! તાપમાનને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-05-17 16:09:02

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 18થી 20 મે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.


અનેક શહેરોનું તાપમાન 40થી વધારે નોંધાયું!

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું. ત્યારે માવઠા બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ માટે પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભેજ વાળો પવન ફૂંકાઈ શકે છે. આગામી દિવસોમાં ઉકળાટ રહેશે.

20 મે સુધી જાહેર કરાયું છે યલો એલર્ટ!      

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને બે દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેરળમાં ચોમાસું ચાર દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે છે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચશે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!

વધતી ગરમીને લઈ હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત વધારે પાણીનું સેવન કરવું જોઈએ. બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ.મહત્વનું છે કે કમોસમી વરસાદ અનેક શહેરોમાં વરસ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.