રાજ્યમાં હજી રહેશે ગરમીનું જોર! તાપમાનને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-05-17 16:09:02

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 18થી 20 મે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.


અનેક શહેરોનું તાપમાન 40થી વધારે નોંધાયું!

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું. ત્યારે માવઠા બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ માટે પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભેજ વાળો પવન ફૂંકાઈ શકે છે. આગામી દિવસોમાં ઉકળાટ રહેશે.

20 મે સુધી જાહેર કરાયું છે યલો એલર્ટ!      

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને બે દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેરળમાં ચોમાસું ચાર દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે છે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચશે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!

વધતી ગરમીને લઈ હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત વધારે પાણીનું સેવન કરવું જોઈએ. બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ.મહત્વનું છે કે કમોસમી વરસાદ અનેક શહેરોમાં વરસ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે