રાજ્યમાં હજી રહેશે ગરમીનું જોર! તાપમાનને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-05-17 16:09:02

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 18થી 20 મે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.


અનેક શહેરોનું તાપમાન 40થી વધારે નોંધાયું!

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું. ત્યારે માવઠા બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ માટે પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભેજ વાળો પવન ફૂંકાઈ શકે છે. આગામી દિવસોમાં ઉકળાટ રહેશે.

20 મે સુધી જાહેર કરાયું છે યલો એલર્ટ!      

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને બે દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેરળમાં ચોમાસું ચાર દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે છે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચશે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!

વધતી ગરમીને લઈ હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત વધારે પાણીનું સેવન કરવું જોઈએ. બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ.મહત્વનું છે કે કમોસમી વરસાદ અનેક શહેરોમાં વરસ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.