રાજ્યમાં હજી રહેશે ગરમીનું જોર! તાપમાનને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-05-17 16:09:02

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 18થી 20 મે માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી તેવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.


અનેક શહેરોનું તાપમાન 40થી વધારે નોંધાયું!

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું. ત્યારે માવઠા બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ માટે પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભેજ વાળો પવન ફૂંકાઈ શકે છે. આગામી દિવસોમાં ઉકળાટ રહેશે.

20 મે સુધી જાહેર કરાયું છે યલો એલર્ટ!      

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને બે દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કેરળમાં ચોમાસું ચાર દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે છે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચશે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!

વધતી ગરમીને લઈ હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉપરાંત વધારે પાણીનું સેવન કરવું જોઈએ. બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ.મહત્વનું છે કે કમોસમી વરસાદ અનેક શહેરોમાં વરસ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.