ગુજરાતના આ મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, વાવાઝોડાની ગંભીરતાને લઈ લેવાયો નિર્ણય, વાંચો લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-15 09:11:26

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે. આગામી કલાકો ગુજરાત માટે ભારે છે એવું માનવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો કોઈ જગ્યા પર ઓછો વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે પવન ફૂંકાય છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 જૂનના રોજ જગત મંદિર દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તે બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને લઈને પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારે એટલે કે આજે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ વાવાઝોડાને લઈ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  

અનેક સેવાઓ વાવાઝોડાને કારણે કરાઈ છે બંધ!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ સતત તેજગતિથી આગળ વધી રહ્યું છે. દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર વાવાઝોડાની અસર સૌથી વધારે થવાની છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવની કામગીરીને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે. એસટી બસોને રદ કરવામાં આવી છે તેમજ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.


આ મંદિરોના દ્વાર ભક્તો માટે રહેશે બંધ!

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી પ્રથમ જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ગુરૂવારે આ મંદિરોના દ્વાર ભક્તો માટે વાવાઝોડાને પગલે બંધ રહેશે. તે સિવાય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 15 જૂન બપોરથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવનની આશંકાને લઈ મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સિવાય સાળંગપુર તેમજ ખોડલધામ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.