ગુજરાતના આ મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, વાવાઝોડાની ગંભીરતાને લઈ લેવાયો નિર્ણય, વાંચો લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-15 09:11:26

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે. આગામી કલાકો ગુજરાત માટે ભારે છે એવું માનવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો કોઈ જગ્યા પર ઓછો વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે પવન ફૂંકાય છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 જૂનના રોજ જગત મંદિર દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તે બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને લઈને પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારે એટલે કે આજે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ વાવાઝોડાને લઈ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  

અનેક સેવાઓ વાવાઝોડાને કારણે કરાઈ છે બંધ!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ સતત તેજગતિથી આગળ વધી રહ્યું છે. દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર વાવાઝોડાની અસર સૌથી વધારે થવાની છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવની કામગીરીને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે. એસટી બસોને રદ કરવામાં આવી છે તેમજ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.


આ મંદિરોના દ્વાર ભક્તો માટે રહેશે બંધ!

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી પ્રથમ જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ગુરૂવારે આ મંદિરોના દ્વાર ભક્તો માટે વાવાઝોડાને પગલે બંધ રહેશે. તે સિવાય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 15 જૂન બપોરથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવનની આશંકાને લઈ મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સિવાય સાળંગપુર તેમજ ખોડલધામ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.