ગુજરાતના આ મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, વાવાઝોડાની ગંભીરતાને લઈ લેવાયો નિર્ણય, વાંચો લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-15 09:11:26

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે. આગામી કલાકો ગુજરાત માટે ભારે છે એવું માનવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો કોઈ જગ્યા પર ઓછો વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે પવન ફૂંકાય છે. ત્યારે વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 જૂનના રોજ જગત મંદિર દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તે બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને લઈને પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારે એટલે કે આજે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ વાવાઝોડાને લઈ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  

અનેક સેવાઓ વાવાઝોડાને કારણે કરાઈ છે બંધ!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ સતત તેજગતિથી આગળ વધી રહ્યું છે. દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર વાવાઝોડાની અસર સૌથી વધારે થવાની છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવની કામગીરીને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે. એસટી બસોને રદ કરવામાં આવી છે તેમજ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે.


આ મંદિરોના દ્વાર ભક્તો માટે રહેશે બંધ!

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી પ્રથમ જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રિવેણી સંગમ પ્રાચીના તમામ મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ગુરૂવારે આ મંદિરોના દ્વાર ભક્તો માટે વાવાઝોડાને પગલે બંધ રહેશે. તે સિવાય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 15 જૂન બપોરથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવનની આશંકાને લઈ મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સિવાય સાળંગપુર તેમજ ખોડલધામ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.      



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?