કમાલના છે આ બાળ કલાકારો તમે પણ એમને જોઈને ફેન બની જશો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-14 17:38:11


આજે ચિલ્ડ્રન ડે છે અને દરેક વ્યક્તિ અલગ રીતે બાળ દિવસની ઉજવણી કરી રહ્યા છે . આ દિવસ ઉજવવાની સિનેમાની પોતાની રીત છે. આ દિવસની અલગ રીતે ઉજવણી કરવા માટે આજનો ખાસ દિવસ અમે એ બાળ કલાકારોને સમર્પિત કરીએ છીએ જેમને એમના અભિનય દ્વારા દરેક લોકોના દિલ જીત્યા છે અને ઘણા એવોર્ડસ પણ મેળવ્યા છે. આજે અમે ખાસ એવા બાળ કલાકારોની યાદી બનાવી છે જેમને પોતાના શાનદાર અભિનયથી તેના દરેક દર્શકોનું દીલ જીતી લીધું છે. 


આઈ એમ કલામ 

નીલા માધબ પાંડાના નિર્દેશનમાં બનાવેલ ફિલ્મ 'આઈ એમ કલામ' લોકોને ખૂબ પસંદ આવી હતી અને હજુ સુધી લોકોના દિલમાં એ ફિલ્મની એક અલગ છાપ છોડાયેલ છે. જો કે આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કારે તેનું નામ નોંધાવ્યું છે. બાળકોને પ્રેરણા આપવા માટે આ એક સરસ ફિલ્મ છે.



તારે જમીન પર 

વર્ષ 2007માં રિલીઝ થયેલ, 'તારે જમીન પર' માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા-પિતાએ પણ જોવી જોઈએ. આ ફિલ્મમાં આમિર ખાન છે, ફિલ્મના દ્રશ્યો તમને ભાવુક કરી દેશે અને સાથે જ દરેક લોકોને એ ફિલ્મ જોઈને તેમાંથી શીખવું જોઈએ. 



'સ્ટેનલી કા ડબ્બા'

અમોલ ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2011માં રીલીઝ થઈ હતી 'સ્ટેનલી કા ડબ્બા'ની વાર્તા તેના દર્શકોનુ મનોરંજન કરવાની સાથે સાથે લોકોની આંખો પણ ભીની કરી દે છે. આ ફિલ્મ એક એવા છોકરાની વાર્તા છે જે હંમેશા તેના મિત્રનું ટિફિન ખાય છે પણ તે પોતે ક્યારેય ટિફિન લઈને નથી આવતો. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.