કમાલના છે આ બાળ કલાકારો તમે પણ એમને જોઈને ફેન બની જશો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-14 17:38:11


આજે ચિલ્ડ્રન ડે છે અને દરેક વ્યક્તિ અલગ રીતે બાળ દિવસની ઉજવણી કરી રહ્યા છે . આ દિવસ ઉજવવાની સિનેમાની પોતાની રીત છે. આ દિવસની અલગ રીતે ઉજવણી કરવા માટે આજનો ખાસ દિવસ અમે એ બાળ કલાકારોને સમર્પિત કરીએ છીએ જેમને એમના અભિનય દ્વારા દરેક લોકોના દિલ જીત્યા છે અને ઘણા એવોર્ડસ પણ મેળવ્યા છે. આજે અમે ખાસ એવા બાળ કલાકારોની યાદી બનાવી છે જેમને પોતાના શાનદાર અભિનયથી તેના દરેક દર્શકોનું દીલ જીતી લીધું છે. 


આઈ એમ કલામ 

નીલા માધબ પાંડાના નિર્દેશનમાં બનાવેલ ફિલ્મ 'આઈ એમ કલામ' લોકોને ખૂબ પસંદ આવી હતી અને હજુ સુધી લોકોના દિલમાં એ ફિલ્મની એક અલગ છાપ છોડાયેલ છે. જો કે આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કારે તેનું નામ નોંધાવ્યું છે. બાળકોને પ્રેરણા આપવા માટે આ એક સરસ ફિલ્મ છે.



તારે જમીન પર 

વર્ષ 2007માં રિલીઝ થયેલ, 'તારે જમીન પર' માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા-પિતાએ પણ જોવી જોઈએ. આ ફિલ્મમાં આમિર ખાન છે, ફિલ્મના દ્રશ્યો તમને ભાવુક કરી દેશે અને સાથે જ દરેક લોકોને એ ફિલ્મ જોઈને તેમાંથી શીખવું જોઈએ. 



'સ્ટેનલી કા ડબ્બા'

અમોલ ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2011માં રીલીઝ થઈ હતી 'સ્ટેનલી કા ડબ્બા'ની વાર્તા તેના દર્શકોનુ મનોરંજન કરવાની સાથે સાથે લોકોની આંખો પણ ભીની કરી દે છે. આ ફિલ્મ એક એવા છોકરાની વાર્તા છે જે હંમેશા તેના મિત્રનું ટિફિન ખાય છે પણ તે પોતે ક્યારેય ટિફિન લઈને નથી આવતો. 




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.