ચૂંટણી નજીક આવતા ભૂલાયા આ મુદ્દાઓ, જેની ચર્ચા કોઈ પાર્ટી નથી કરી રહી


  • Published By :
  • Published Date : 2022-10-24 12:10:37

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. અનેક જગ્યાઓ પર રાજનેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી જીતવા પાર્ટીઓએ અનેક વાયદા વચનો આપ્યા છે. પ્રચારમાં નેતાઓ વ્યસ્ત બન્યા છે જેને કારણે સામાન્ય નાગરિકને પડતી મુશ્કેલીઓ ભૂલાઈ ગઈ છે. પ્રચારમાં શું વાયદા આપો છો તેનાથી લોકોને ફરક નથી પડવાનો પરંતુ ખરાબ રસ્તા, રસ્તાઓ પર પડેલા ખાડા, રખડતા પશુઓ, વધતો ટ્રાફિક, વધતી ગંદકીથી સામાન્ય લોકોને ફરક પડે છે. 

ખરાબ રસ્તાથી લોકો છે ત્રસ્ત...

ગુજરાતમાં ચૂંટણીનો મોસમ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન પાર્ટી મતદારોને રિઝવવા અનેક વાયદા વચન આપતી હોય છે. પરંતુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓની અવગણના કરી લેતા હોય છે.  સામાન્ય માણસને વાયદા વચનોથી ફરક નથી પડતો પરંતુ તેમને પડતી તેમની પડતી મુશ્કેલીથી ફરક પડે છે. રસ્તાઓની હાલ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળે છે. ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વધતા ખાડાને કારણે વાહનને પણ નુક્શાન થાય છે ઉપરાંત શરીરને પણ ઘણું નુક્શાન થાય છે. 

ભાવનગરના રોડ ખુબ જ ખરાબ હાલતમાં, વાહન ચાલકો ત્રાહિમામ | Road in Bhavnagar  in very bad condition, the vehicle drivers Trahimam

વધતો ટ્રાફિક બની માથાનો દુખાવો....

જેમ જેમ માણસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. વધતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. વધતા ટ્રાફિકને કારણે વધારે પેટ્રોલ બળે છે તો સમય પણ વધારે લાગે છે. રસ્તાઓની બિસ્માર હાલતને કારણે એમ પણ વાહનો ધીમે ચલાવવા પડે છે તો વધતા ટ્રાફિકને કારણે પણ સ્પીડમાં ઘટાડો થાય છે. ટ્રાફિકની સમસ્યાની અવગણના ન કરી શકીએ.     

264 India Traffic Jam Traffic Mumbai Stock Photos, Pictures & Royalty-Free  Images - iStock

જીવલેણ બની રહ્યા છે રખડતા પશુઓ...

ન માત્ર ખાડાઓથી લોકો પરેશાન છે, પરંતુ રખડતા ઢોરને કારણે પણ લોકો પરેશાન થઈ ગયા છે. ઢોરને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સમસ્યા પણ દિવસેને દિવસે વધતી રહી છે. ન માત્ર વાહનચાલકો આને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે પરંતુ રાહદારીઓ પણ આને કારણે ત્રસ્ત છે. જવાબદાર અધિકારી પણ આ અંગે એકદમ નિષ્ક્રિય છે. અનેક રજૂઆત બાદ પણ આ સમસ્યાનો અંત નથી આવ્યો. તંત્રની બેકરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. 

Operation to catch stray cattle started in Mehsana city

વધતી ગંદકીને કારણે લોકો પરેશાન...  

ગંદકીને કારણે પણ લોકો ત્રસ્ત છે. એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાઓ પર ગંદકીનું સામરાજ્ય જોવા મળે છે. વધતી ગંદકીને કારણે પણ લોકો પરેશાન થઈ ગયા છે. એવી અનેક જગ્યાઓ છે જ્યાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. પરંતુ એવું લાગે છે કે આ બધી વસ્તુ માત્ર કાગળ પર જ જોવા મળે છે. 

News & Views :: ગંદકી કરવી અમદાવાદીઓને ભારે પડશે, આટલા લાખનો દંડ થઈ શકે છે

અનેક મુશ્કેલીનો સામનો કરતા મતદાર 

અમે જે સમસ્યા ગણાવી એ તો એકદમ પ્રાથમિક સમસ્યા છે. આવી તો અનેક સમસ્યાઓ હશે જેનો સામનો રોજ રોજ લોકો કરી રહ્યા છે. ત્યારે અમારી એટલી જ અપીલ છે કે ચૂંટણી પ્રચારમાંથી થોડો સમય કાઢી લોકોને પડતી સમસ્યાનો ઉકેલ લાવવા ખરેખર પ્રયાસ કરવા જોઈએ. કારણ કે આ જ મતદારો મતદાન કરી સરકારને સત્તા પર લાવે છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.