આ રાજનેતાઓએ પંડિત જવાહરલાલ નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ, પીએમ મોદીએ ટ્વિટ કરી તો રાહુલે ગાંધીએ સમાધિ સ્થળ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-27 12:45:17

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નહેરૂને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ પર હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ!

પીએમ મોદીએ ટ્વિટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેએ જવાહરલાલ નહેરૂના સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજના જ દિવસે 74 વર્ષની આયુમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. સમગ્ર દેશમાં જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ આવી રીતે જવાહરલાલ નહેરૂને યાદ કર્યા!

સમાધિસ્થળ પર જાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ ન થઈ શકે. તે સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે પંડિત જવાહરલાલ નહેરૂની વિરાસત હમેશા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી પંડિત જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.