આ રાજનેતાઓએ પંડિત જવાહરલાલ નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ, પીએમ મોદીએ ટ્વિટ કરી તો રાહુલે ગાંધીએ સમાધિ સ્થળ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-27 12:45:17

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નહેરૂને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ પર હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ!

પીએમ મોદીએ ટ્વિટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેએ જવાહરલાલ નહેરૂના સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજના જ દિવસે 74 વર્ષની આયુમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. સમગ્ર દેશમાં જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ આવી રીતે જવાહરલાલ નહેરૂને યાદ કર્યા!

સમાધિસ્થળ પર જાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ ન થઈ શકે. તે સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે પંડિત જવાહરલાલ નહેરૂની વિરાસત હમેશા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી પંડિત જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.