આ રાજનેતાઓએ પંડિત જવાહરલાલ નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ, પીએમ મોદીએ ટ્વિટ કરી તો રાહુલે ગાંધીએ સમાધિ સ્થળ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-27 12:45:17

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નહેરૂને યાદ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ પર હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ!

પીએમ મોદીએ ટ્વિટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેએ જવાહરલાલ નહેરૂના સમાધિસ્થળ પર જઈ પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજના જ દિવસે 74 વર્ષની આયુમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. સમગ્ર દેશમાં જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ આવી રીતે જવાહરલાલ નહેરૂને યાદ કર્યા!

સમાધિસ્થળ પર જાય તે પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ ન થઈ શકે. તે સિવાય રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે પંડિત જવાહરલાલ નહેરૂની વિરાસત હમેશા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરી પંડિત જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.