આ દ્રશ્યો બદલી લેશે પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ! સ્થળાંતર વખતે જોવા મળી પોલીસની સરાહનીય કામગીરી!


  • Published By :
  • Published Date : 2023-06-14 11:51:04

વાવાઝોડાના સંકટ વચ્ચે દરેક જગ્યાઓ પર સંકટની વાતો કરવામાં આવી રહી છે. અમે પણ સતત આની અપડેટ આપી રહ્યા છે પરંતુ આ સમય દરિમાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે દિલને જીતી લે તેવા છે. ઘણી વખત પોલીસ સાથે બોલાચાલી થતી હોય છે ઘણી વખત પોલીસ માટે આપણે ખરાબ શબ્દો પણ બોલતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોલીસની કામગીરી સરાહનીય જોવા મળતી હોય છે. ત્યારે એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા માનવતા મહેંકાવવાનું કામ કરવામાં આવ્યું હોય.

  

પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી!

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સાવચેતીના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી ગયું છે જ્યારે અનેક લોકોનું હાલ કરાઈ રહ્યું છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે જેમના દિમાગમાં પોલીસને લઈ નેગેટિવ ઈમ્પ્રેશન હોય છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારૂં પોલીસ માટેનું મંતવ્ય બદલી લેશે.     


પોલીસ પહોંચાડી રહી છે જીવનજરૂરી વસ્તુઓ! 

ગઈકાલે પણ પોલીસકર્મીઓનો વીડિયો કચ્છથી સામે આવ્યો હતો જેમાં 102 વર્ષની વૃદ્ધાને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દ્વારકાથી તેમજ અમરેલીથી પોલીસની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં ગામડાના લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક કિસ્સાઓ હશે જેમાં પોલીસ દ્વારા એવા કાર્યો કરાતા હશે જેની નોંધ કોઈ નહીં લેવામાં આવતી હોય.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.