આ દ્રશ્યો બદલી લેશે પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ! સ્થળાંતર વખતે જોવા મળી પોલીસની સરાહનીય કામગીરી!


  • Published By :
  • Published Date : 2023-06-14 11:51:04

વાવાઝોડાના સંકટ વચ્ચે દરેક જગ્યાઓ પર સંકટની વાતો કરવામાં આવી રહી છે. અમે પણ સતત આની અપડેટ આપી રહ્યા છે પરંતુ આ સમય દરિમાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે દિલને જીતી લે તેવા છે. ઘણી વખત પોલીસ સાથે બોલાચાલી થતી હોય છે ઘણી વખત પોલીસ માટે આપણે ખરાબ શબ્દો પણ બોલતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોલીસની કામગીરી સરાહનીય જોવા મળતી હોય છે. ત્યારે એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા માનવતા મહેંકાવવાનું કામ કરવામાં આવ્યું હોય.

  

પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી!

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સાવચેતીના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી ગયું છે જ્યારે અનેક લોકોનું હાલ કરાઈ રહ્યું છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે જેમના દિમાગમાં પોલીસને લઈ નેગેટિવ ઈમ્પ્રેશન હોય છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારૂં પોલીસ માટેનું મંતવ્ય બદલી લેશે.     


પોલીસ પહોંચાડી રહી છે જીવનજરૂરી વસ્તુઓ! 

ગઈકાલે પણ પોલીસકર્મીઓનો વીડિયો કચ્છથી સામે આવ્યો હતો જેમાં 102 વર્ષની વૃદ્ધાને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દ્વારકાથી તેમજ અમરેલીથી પોલીસની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં ગામડાના લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક કિસ્સાઓ હશે જેમાં પોલીસ દ્વારા એવા કાર્યો કરાતા હશે જેની નોંધ કોઈ નહીં લેવામાં આવતી હોય.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.