આ દ્રશ્યો બદલી લેશે પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ! સ્થળાંતર વખતે જોવા મળી પોલીસની સરાહનીય કામગીરી!


  • Published By :
  • Published Date : 2023-06-14 11:51:04

વાવાઝોડાના સંકટ વચ્ચે દરેક જગ્યાઓ પર સંકટની વાતો કરવામાં આવી રહી છે. અમે પણ સતત આની અપડેટ આપી રહ્યા છે પરંતુ આ સમય દરિમાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે દિલને જીતી લે તેવા છે. ઘણી વખત પોલીસ સાથે બોલાચાલી થતી હોય છે ઘણી વખત પોલીસ માટે આપણે ખરાબ શબ્દો પણ બોલતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોલીસની કામગીરી સરાહનીય જોવા મળતી હોય છે. ત્યારે એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા માનવતા મહેંકાવવાનું કામ કરવામાં આવ્યું હોય.

  

પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી!

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સાવચેતીના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી ગયું છે જ્યારે અનેક લોકોનું હાલ કરાઈ રહ્યું છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે જેમના દિમાગમાં પોલીસને લઈ નેગેટિવ ઈમ્પ્રેશન હોય છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારૂં પોલીસ માટેનું મંતવ્ય બદલી લેશે.     


પોલીસ પહોંચાડી રહી છે જીવનજરૂરી વસ્તુઓ! 

ગઈકાલે પણ પોલીસકર્મીઓનો વીડિયો કચ્છથી સામે આવ્યો હતો જેમાં 102 વર્ષની વૃદ્ધાને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દ્વારકાથી તેમજ અમરેલીથી પોલીસની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં ગામડાના લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક કિસ્સાઓ હશે જેમાં પોલીસ દ્વારા એવા કાર્યો કરાતા હશે જેની નોંધ કોઈ નહીં લેવામાં આવતી હોય.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.