આ દ્રશ્યો બદલી લેશે પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ! સ્થળાંતર વખતે જોવા મળી પોલીસની સરાહનીય કામગીરી!


  • Published By :
  • Published Date : 2023-06-14 11:51:04

વાવાઝોડાના સંકટ વચ્ચે દરેક જગ્યાઓ પર સંકટની વાતો કરવામાં આવી રહી છે. અમે પણ સતત આની અપડેટ આપી રહ્યા છે પરંતુ આ સમય દરિમાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે દિલને જીતી લે તેવા છે. ઘણી વખત પોલીસ સાથે બોલાચાલી થતી હોય છે ઘણી વખત પોલીસ માટે આપણે ખરાબ શબ્દો પણ બોલતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોલીસની કામગીરી સરાહનીય જોવા મળતી હોય છે. ત્યારે એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા માનવતા મહેંકાવવાનું કામ કરવામાં આવ્યું હોય.

  

પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી!

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સાવચેતીના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી ગયું છે જ્યારે અનેક લોકોનું હાલ કરાઈ રહ્યું છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે જેમના દિમાગમાં પોલીસને લઈ નેગેટિવ ઈમ્પ્રેશન હોય છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમારૂં પોલીસ માટેનું મંતવ્ય બદલી લેશે.     


પોલીસ પહોંચાડી રહી છે જીવનજરૂરી વસ્તુઓ! 

ગઈકાલે પણ પોલીસકર્મીઓનો વીડિયો કચ્છથી સામે આવ્યો હતો જેમાં 102 વર્ષની વૃદ્ધાને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દ્વારકાથી તેમજ અમરેલીથી પોલીસની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં ગામડાના લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. આવા તો અનેક કિસ્સાઓ હશે જેમાં પોલીસ દ્વારા એવા કાર્યો કરાતા હશે જેની નોંધ કોઈ નહીં લેવામાં આવતી હોય.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.