આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:16:55

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિધાનસભા ક્ષેત્રથી લડતા 10 ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું. આમ આદમી પાર્ટી અગાઉ બે લિસ્ટ જાહેર કરી ચૂક્યું છે. ત્રીજા લિસ્ટને જોડતા આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કોઈ નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડનાર 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 



કૈલાશ ગઢવી માંડવી(કચ્છ) બેઠકથી ચૂંટણી લડશે
દિનેશ કાપડિયા દાણીલીમડા બેઠકથી ચૂંટણી લડશે
ડૉ. રમેશ પટેલ ડીસા બેઠકથી ચૂંટણી લડશે
લતેશ ઠક્કર પાટણ બેઠકથી ચૂંટણી લડશે
કલ્પેશ ભોલાભાઈ પટેલ બેઠકથી ચૂંટણી લડશે
વિજય ચાવડા સાવલી બેઠકથી ચૂંટણી લડશે
બિપીન ગામેતી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટણી લડશે
પ્રફુલ વસાવા નાંદોદ બેઠકથી ચૂંટણી લડશેજીવન જુંગી પોરબંદર બેઠકથી ચૂંટણી લડશે
અરવિંદ ગામીત નિઝર બેઠકથી ચૂંટણી લડશે



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"