આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:16:55

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિધાનસભા ક્ષેત્રથી લડતા 10 ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું. આમ આદમી પાર્ટી અગાઉ બે લિસ્ટ જાહેર કરી ચૂક્યું છે. ત્રીજા લિસ્ટને જોડતા આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કોઈ નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડનાર 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 



કૈલાશ ગઢવી માંડવી(કચ્છ) બેઠકથી ચૂંટણી લડશે
દિનેશ કાપડિયા દાણીલીમડા બેઠકથી ચૂંટણી લડશે
ડૉ. રમેશ પટેલ ડીસા બેઠકથી ચૂંટણી લડશે
લતેશ ઠક્કર પાટણ બેઠકથી ચૂંટણી લડશે
કલ્પેશ ભોલાભાઈ પટેલ બેઠકથી ચૂંટણી લડશે
વિજય ચાવડા સાવલી બેઠકથી ચૂંટણી લડશે
બિપીન ગામેતી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટણી લડશે
પ્રફુલ વસાવા નાંદોદ બેઠકથી ચૂંટણી લડશેજીવન જુંગી પોરબંદર બેઠકથી ચૂંટણી લડશે
અરવિંદ ગામીત નિઝર બેઠકથી ચૂંટણી લડશે



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .