આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:16:55

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિધાનસભા ક્ષેત્રથી લડતા 10 ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું. આમ આદમી પાર્ટી અગાઉ બે લિસ્ટ જાહેર કરી ચૂક્યું છે. ત્રીજા લિસ્ટને જોડતા આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કોઈ નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડનાર 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 



કૈલાશ ગઢવી માંડવી(કચ્છ) બેઠકથી ચૂંટણી લડશે
દિનેશ કાપડિયા દાણીલીમડા બેઠકથી ચૂંટણી લડશે
ડૉ. રમેશ પટેલ ડીસા બેઠકથી ચૂંટણી લડશે
લતેશ ઠક્કર પાટણ બેઠકથી ચૂંટણી લડશે
કલ્પેશ ભોલાભાઈ પટેલ બેઠકથી ચૂંટણી લડશે
વિજય ચાવડા સાવલી બેઠકથી ચૂંટણી લડશે
બિપીન ગામેતી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટણી લડશે
પ્રફુલ વસાવા નાંદોદ બેઠકથી ચૂંટણી લડશેજીવન જુંગી પોરબંદર બેઠકથી ચૂંટણી લડશે
અરવિંદ ગામીત નિઝર બેઠકથી ચૂંટણી લડશે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.