દિલ્હી દારૂ કૌભાંડ મામલે EDએ AAPના નેતા સહિત 2ની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-14 12:56:43

દારૂ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Delhi Liquor Scam: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, AAP નેતા  વિજય નાયર સહિત 2 આરોપીઓની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંનેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. દિલ્હી લિકર પોલિસીના આમ આદમી પાર્ટીના વિજય નાયરની જામીન પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વિજય નાયર પર ષડયંત્ર, જૂથવાદ અને લાઇસન્સ પ્રક્રિયામાં ખોટું કરવાનો આરોપ છે. વિજય નાયર ઈવેન્ટ એમજીએમટી કંપની ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ સીઈઓ છે અને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નાયરની ધરપકડ કરવામાં આવી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.