દિલ્હી દારૂ કૌભાંડ મામલે EDએ AAPના નેતા સહિત 2ની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-14 12:56:43

દારૂ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Delhi Liquor Scam: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, AAP નેતા  વિજય નાયર સહિત 2 આરોપીઓની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંનેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. દિલ્હી લિકર પોલિસીના આમ આદમી પાર્ટીના વિજય નાયરની જામીન પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વિજય નાયર પર ષડયંત્ર, જૂથવાદ અને લાઇસન્સ પ્રક્રિયામાં ખોટું કરવાનો આરોપ છે. વિજય નાયર ઈવેન્ટ એમજીએમટી કંપની ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ સીઈઓ છે અને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નાયરની ધરપકડ કરવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે