દિલ્હી દારૂ કૌભાંડ મામલે EDએ AAPના નેતા સહિત 2ની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-14 12:56:43

દારૂ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Delhi Liquor Scam: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, AAP નેતા  વિજય નાયર સહિત 2 આરોપીઓની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંનેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. દિલ્હી લિકર પોલિસીના આમ આદમી પાર્ટીના વિજય નાયરની જામીન પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વિજય નાયર પર ષડયંત્ર, જૂથવાદ અને લાઇસન્સ પ્રક્રિયામાં ખોટું કરવાનો આરોપ છે. વિજય નાયર ઈવેન્ટ એમજીએમટી કંપની ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ સીઈઓ છે અને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નાયરની ધરપકડ કરવામાં આવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.