ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ બદલાયા બાદ સંગઠનમાં થશે આ ફેરફાર! દિલ્હીમાં થઈ હતી મિટીંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 13:49:38

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને બદલી દીધા છે. પહેલા જે જવાબદારી જગદીશ ઠાકોર સંભાળતા હતા હવે તે જવાબદારી શક્તિ સિંહ ગોહિલ સંભાળશે. સત્તાવાર રીતે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ નિયુક્તિ કરી શકે છે. રઘુ શર્મા આ જવાબદારી નિભાવતા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું.       


રઘુ શર્માએ આપી દીધું હતું રાજીનામું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. 182માંથી કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો જ આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડ દ્વારા નવા ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જગદીશ ઠાકોર જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હવે શક્તિસિંહ ગોહિલ સંભાળવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ સાથે ગુજરાતના કોંગ્રેસના 18 જેટલા નેતાઓએ બેઠક કરી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ રઘુ શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 



આ નેતાઓ બેઠકમાં રહ્યા હતા હાજર          

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કમલમની જેમ સમગ્ર ગુજરાતમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે.દિલ્હી ખાતે ગુજરાતના નેતાઓએ બેઠક કરી હતી. રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો નિર્ણય બેઠકમાં લેવાયેલો છે. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર હતા.    



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?