ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ બદલાયા બાદ સંગઠનમાં થશે આ ફેરફાર! દિલ્હીમાં થઈ હતી મિટીંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 13:49:38

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને બદલી દીધા છે. પહેલા જે જવાબદારી જગદીશ ઠાકોર સંભાળતા હતા હવે તે જવાબદારી શક્તિ સિંહ ગોહિલ સંભાળશે. સત્તાવાર રીતે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ નિયુક્તિ કરી શકે છે. રઘુ શર્મા આ જવાબદારી નિભાવતા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું.       


રઘુ શર્માએ આપી દીધું હતું રાજીનામું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. 182માંથી કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો જ આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડ દ્વારા નવા ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જગદીશ ઠાકોર જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હવે શક્તિસિંહ ગોહિલ સંભાળવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ સાથે ગુજરાતના કોંગ્રેસના 18 જેટલા નેતાઓએ બેઠક કરી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ રઘુ શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. 



આ નેતાઓ બેઠકમાં રહ્યા હતા હાજર          

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કમલમની જેમ સમગ્ર ગુજરાતમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે.દિલ્હી ખાતે ગુજરાતના નેતાઓએ બેઠક કરી હતી. રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો નિર્ણય બેઠકમાં લેવાયેલો છે. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.