વડોદરામાં દુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ, સમસ્યાનો ઉકેલ ન આવતા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-30 17:51:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચારનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા ઠેર-ઠેર જનસભાનું આયોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં છે. ત્યારે વડોદરા ખાતે સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી શુદ્ધ પાણી નથી મળી રહ્યું. ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.


સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ

ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એવા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખાણ કરવામાં આવે છે કે પ્રચાર માટે કોઈએ અહિંયા આવું નહીં. ત્યારે વડોદરાના આજવા રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા નગર વિભાગ-2ના સદસ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવા માટે શુદ્ધ પાણી નહીં પરંતુ ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઘણો સમય વિત્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


રજૂઆત છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય  

વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, રોડ શો કરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. એક તરફ જ્યારે વડાપ્રધાન પ્રચાર કરી રહ્યા હોય તો બીજી તરફ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મિશ્રિત પાણી આવવાને કારણે આ પાણી કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપરાંત દુષિત પાણી આવવાને કારણે બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે. આ વાતની રજૂઆત અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરી ખાતે કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં પણ કોઈ નિરાકારણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિકાએ કર્યો છે.        




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"