વડોદરામાં દુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ, સમસ્યાનો ઉકેલ ન આવતા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-30 17:51:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચારનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા ઠેર-ઠેર જનસભાનું આયોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં છે. ત્યારે વડોદરા ખાતે સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી શુદ્ધ પાણી નથી મળી રહ્યું. ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.


સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ

ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એવા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખાણ કરવામાં આવે છે કે પ્રચાર માટે કોઈએ અહિંયા આવું નહીં. ત્યારે વડોદરાના આજવા રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા નગર વિભાગ-2ના સદસ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવા માટે શુદ્ધ પાણી નહીં પરંતુ ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઘણો સમય વિત્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


રજૂઆત છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય  

વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, રોડ શો કરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. એક તરફ જ્યારે વડાપ્રધાન પ્રચાર કરી રહ્યા હોય તો બીજી તરફ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મિશ્રિત પાણી આવવાને કારણે આ પાણી કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપરાંત દુષિત પાણી આવવાને કારણે બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે. આ વાતની રજૂઆત અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરી ખાતે કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં પણ કોઈ નિરાકારણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિકાએ કર્યો છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.