વડોદરામાં દુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ, સમસ્યાનો ઉકેલ ન આવતા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-30 17:51:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચારનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા ઠેર-ઠેર જનસભાનું આયોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં છે. ત્યારે વડોદરા ખાતે સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી શુદ્ધ પાણી નથી મળી રહ્યું. ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.


સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ

ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એવા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખાણ કરવામાં આવે છે કે પ્રચાર માટે કોઈએ અહિંયા આવું નહીં. ત્યારે વડોદરાના આજવા રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા નગર વિભાગ-2ના સદસ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવા માટે શુદ્ધ પાણી નહીં પરંતુ ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઘણો સમય વિત્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


રજૂઆત છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય  

વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, રોડ શો કરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. એક તરફ જ્યારે વડાપ્રધાન પ્રચાર કરી રહ્યા હોય તો બીજી તરફ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મિશ્રિત પાણી આવવાને કારણે આ પાણી કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપરાંત દુષિત પાણી આવવાને કારણે બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે. આ વાતની રજૂઆત અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરી ખાતે કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં પણ કોઈ નિરાકારણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિકાએ કર્યો છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે