વડોદરામાં દુષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ, સમસ્યાનો ઉકેલ ન આવતા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-30 17:51:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચારનો દોર ચાલી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા ઠેર-ઠેર જનસભાનું આયોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં છે. ત્યારે વડોદરા ખાતે સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી શુદ્ધ પાણી નથી મળી રહ્યું. ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.


સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ

ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એવા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં લખાણ કરવામાં આવે છે કે પ્રચાર માટે કોઈએ અહિંયા આવું નહીં. ત્યારે વડોદરાના આજવા રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા નગર વિભાગ-2ના સદસ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવા માટે શુદ્ધ પાણી નહીં પરંતુ ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઘણો સમય વિત્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


રજૂઆત છતાં ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય  

વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, રોડ શો કરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. એક તરફ જ્યારે વડાપ્રધાન પ્રચાર કરી રહ્યા હોય તો બીજી તરફ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મિશ્રિત પાણી આવવાને કારણે આ પાણી કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. ઉપરાંત દુષિત પાણી આવવાને કારણે બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે. આ વાતની રજૂઆત અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરી ખાતે કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં પણ કોઈ નિરાકારણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિકાએ કર્યો છે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.