પટનાના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ડિસ્પ્લે થયા બાદ બિહારના ભાગલપુર રેલવે સ્ટેશનના ડિસ્પ્લે સ્ક્રીન પર ફ્લેશ થયો આ આપત્તિજનક મેસેજ!


  • Published By :
  • Published Date : 2023-04-18 13:38:05

રેલવે સ્ટેશન પર મુસાફરોને સુવિધા મળે તે માટે મોટી મોટી સ્ક્રીન પર ટ્રેન અંગેની, પ્લેટફોર્મ અંગેની જાણકારી આપવામાં આવતી હોય છે. પરંતુ અનેક વખત રેલવે સ્ટેશનો પર રાખવામાં આવતા બિલબોર્ડ પર એવી વસ્તુઓ ડિસ્પ્લે થઈ જતી હોય છે જે વિવાદનો મુદ્દો બની જતો હોય છે. થોડા સમય પહેલા બિહારના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવો આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થયો જે ચર્ચાનો વિષય બની ગયો. 


સ્ક્રીન પર ડિસ્પ્લે થયો આપત્તિજનક મેસેજ! 

રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે મોટી સ્કીન રાખવામાં આવતી હોય છે જેમાં ટ્રેનના સમય, કયા પ્લેટફોર્મ પર આવશે સહિતની વિગતો આપવામાં આવતી હોય છે. ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવી વસ્તુ સ્ક્રીન પર ચાલી ગઈ કે આપત્તિજનક હતી.ભાગલપુર રેલવે સ્ટેશન પરિસરમાં લાગેલા એક સ્ક્રીન પર આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થઈ ગયો કે જેનો મતલબ થતો હતો સેક્સ વર્કર માટે અહીં સંપર્ક કરો. મળતી માહિતી અનુસાર આ મેસેજ લગભગ પાંચથી દસ મિનીટ સુધી ડિસ્પ્લે થયો હતો. 


આ ઘટના અંગે કરવામાં આવશે કાર્યવાહી! 

આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. એસડીઓ ધનંજય કુમાર અને ડીએસપી કુમાર ચૌધરી ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ટેક્નિકલ ખામીને કારણે આવી  ઘટના સર્જાઈ હતી. સ્ક્રીન પર જે મેસેજ ફ્લેશ થયો તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે કોઈ પણ આ હરકત માટે જવાબદાર હશે તેની વિરૂદ્ધ કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. 


પટના રેલવે સ્ટેશન પર ચાલ્યો હતો પોર્ન વીડિયો!

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બિહારના એક રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો. પટના જંક્શનના એક પ્લેટફોર્મ પર અચાનક પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. એ વીડિયો સેકેન્ડો સુધી નહીં પરંતુ મીનિટો સુધી ચાલ્યો હતો. મળતી માહિતી અનુસાર આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.