પટનાના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ડિસ્પ્લે થયા બાદ બિહારના ભાગલપુર રેલવે સ્ટેશનના ડિસ્પ્લે સ્ક્રીન પર ફ્લેશ થયો આ આપત્તિજનક મેસેજ!


  • Published By :
  • Published Date : 2023-04-18 13:38:05

રેલવે સ્ટેશન પર મુસાફરોને સુવિધા મળે તે માટે મોટી મોટી સ્ક્રીન પર ટ્રેન અંગેની, પ્લેટફોર્મ અંગેની જાણકારી આપવામાં આવતી હોય છે. પરંતુ અનેક વખત રેલવે સ્ટેશનો પર રાખવામાં આવતા બિલબોર્ડ પર એવી વસ્તુઓ ડિસ્પ્લે થઈ જતી હોય છે જે વિવાદનો મુદ્દો બની જતો હોય છે. થોડા સમય પહેલા બિહારના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવો આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થયો જે ચર્ચાનો વિષય બની ગયો. 


સ્ક્રીન પર ડિસ્પ્લે થયો આપત્તિજનક મેસેજ! 

રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે મોટી સ્કીન રાખવામાં આવતી હોય છે જેમાં ટ્રેનના સમય, કયા પ્લેટફોર્મ પર આવશે સહિતની વિગતો આપવામાં આવતી હોય છે. ત્યારે બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર એક એવી વસ્તુ સ્ક્રીન પર ચાલી ગઈ કે આપત્તિજનક હતી.ભાગલપુર રેલવે સ્ટેશન પરિસરમાં લાગેલા એક સ્ક્રીન પર આપત્તિજનક મેસેજ ડિસ્પ્લે થઈ ગયો કે જેનો મતલબ થતો હતો સેક્સ વર્કર માટે અહીં સંપર્ક કરો. મળતી માહિતી અનુસાર આ મેસેજ લગભગ પાંચથી દસ મિનીટ સુધી ડિસ્પ્લે થયો હતો. 


આ ઘટના અંગે કરવામાં આવશે કાર્યવાહી! 

આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. એસડીઓ ધનંજય કુમાર અને ડીએસપી કુમાર ચૌધરી ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ટેક્નિકલ ખામીને કારણે આવી  ઘટના સર્જાઈ હતી. સ્ક્રીન પર જે મેસેજ ફ્લેશ થયો તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે કોઈ પણ આ હરકત માટે જવાબદાર હશે તેની વિરૂદ્ધ કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. 


પટના રેલવે સ્ટેશન પર ચાલ્યો હતો પોર્ન વીડિયો!

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બિહારના એક રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો ચાલ્યો હતો. પટના જંક્શનના એક પ્લેટફોર્મ પર અચાનક પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. એ વીડિયો સેકેન્ડો સુધી નહીં પરંતુ મીનિટો સુધી ચાલ્યો હતો. મળતી માહિતી અનુસાર આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.