આ તો ધબડકો થઈ ગયો !!!,AAPમાં જોડાનારા કેસરીસિંહે એક દિવસમાં પાછા ભાજપમાં આવી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 15:00:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખરાખરીનો રાજકીય માહોલ જામ્યો છે. રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા. જોકે 48 કલાકમાં જ તેમણે ફરી ગુલાંટ મારી છે અને ફરી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભાજપને સમર્થન કરતી પોસ્ટ પણ કરી છે.



ગુરુવારે જ AAPમાં જોડાયા હતા કેસરીસિંહ

ખાસ વાત એ છે કે, ગુરુવારે રાત્રે જ AAPમાં જોડાનારા કેસરીસિંહને ગઈકાલે જ પાર્ટીએ મહિપતસિંહની ટિકિટ કાપીને માતરની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે તેમણે ગણતરીના કલાકોમાં જ ફરી ભાજપને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેઓ ભાજપનો ખેસ પહેરેલા દેખાય છે, જ્યારે એક તસવીરમાં દેવુસિંહ ચૌહાણ સાથે ઊભેલા છે.

બીજી તરફ AAP દ્વારા ગઈકાલે મહિપતસિંહની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ તથા નારાજગી જોવા મળી રહી હતી. જોકે AAPએ જે કેસરીસિંહને ટિકિટ આપવા માટે પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.