શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ટીઝરમાં આ વસ્તુ છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:48:23

શાહરુખ ખાને આજે પોતાના જન્મ દિવસના રોજ તેમના ફેન્સને ગિફ્ટના ભાગરૂપે પઠાન ફિલ્મના ટીઝરને લોન્ચ કરી દીધું છે. કિંગ ખાને ટ્વિટર હેન્ડલ પર પઠાનનું ટીઝર લોન્ચ કર્યું છે. પઠાનના ટીઝરની લોકો રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર પાછા આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પૂરી બનીને તૈયાર છે. પઠાન ટીઝરમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. લોકોને પણ શાહરૂખ ખાનનો લુક પસંદ આવી રહ્યો છે. 

25 જાન્યુઆરીએ પઠાન ફિલ્મ રિલીઝ થશે

એક્શન ફિલ્મ પઠાનના ટીઝરમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ નજરમાં આવી રહ્યા છે. આ ટીઝરમાં તમને કિંગ ખાન અને જોન અબ્રાહમના એક્શન સીન જોવા મળશે. ટીઝરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લોકો પઠાનના ટીઝર પરથી ફિલ્મ મામલે એકદમ પોઝિટિવ પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું યશરાજ ફિલ્મસે ટીઝરમાં લખ્યું છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.