શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ટીઝરમાં આ વસ્તુ છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:48:23

શાહરુખ ખાને આજે પોતાના જન્મ દિવસના રોજ તેમના ફેન્સને ગિફ્ટના ભાગરૂપે પઠાન ફિલ્મના ટીઝરને લોન્ચ કરી દીધું છે. કિંગ ખાને ટ્વિટર હેન્ડલ પર પઠાનનું ટીઝર લોન્ચ કર્યું છે. પઠાનના ટીઝરની લોકો રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર પાછા આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પૂરી બનીને તૈયાર છે. પઠાન ટીઝરમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. લોકોને પણ શાહરૂખ ખાનનો લુક પસંદ આવી રહ્યો છે. 

25 જાન્યુઆરીએ પઠાન ફિલ્મ રિલીઝ થશે

એક્શન ફિલ્મ પઠાનના ટીઝરમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ નજરમાં આવી રહ્યા છે. આ ટીઝરમાં તમને કિંગ ખાન અને જોન અબ્રાહમના એક્શન સીન જોવા મળશે. ટીઝરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લોકો પઠાનના ટીઝર પરથી ફિલ્મ મામલે એકદમ પોઝિટિવ પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું યશરાજ ફિલ્મસે ટીઝરમાં લખ્યું છે. 




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.