શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ટીઝરમાં આ વસ્તુ છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:48:23

શાહરુખ ખાને આજે પોતાના જન્મ દિવસના રોજ તેમના ફેન્સને ગિફ્ટના ભાગરૂપે પઠાન ફિલ્મના ટીઝરને લોન્ચ કરી દીધું છે. કિંગ ખાને ટ્વિટર હેન્ડલ પર પઠાનનું ટીઝર લોન્ચ કર્યું છે. પઠાનના ટીઝરની લોકો રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર પાછા આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પૂરી બનીને તૈયાર છે. પઠાન ટીઝરમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. લોકોને પણ શાહરૂખ ખાનનો લુક પસંદ આવી રહ્યો છે. 

25 જાન્યુઆરીએ પઠાન ફિલ્મ રિલીઝ થશે

એક્શન ફિલ્મ પઠાનના ટીઝરમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ નજરમાં આવી રહ્યા છે. આ ટીઝરમાં તમને કિંગ ખાન અને જોન અબ્રાહમના એક્શન સીન જોવા મળશે. ટીઝરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લોકો પઠાનના ટીઝર પરથી ફિલ્મ મામલે એકદમ પોઝિટિવ પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું યશરાજ ફિલ્મસે ટીઝરમાં લખ્યું છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી