શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના ટીઝરમાં આ વસ્તુ છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:48:23

શાહરુખ ખાને આજે પોતાના જન્મ દિવસના રોજ તેમના ફેન્સને ગિફ્ટના ભાગરૂપે પઠાન ફિલ્મના ટીઝરને લોન્ચ કરી દીધું છે. કિંગ ખાને ટ્વિટર હેન્ડલ પર પઠાનનું ટીઝર લોન્ચ કર્યું છે. પઠાનના ટીઝરની લોકો રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર પાછા આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પૂરી બનીને તૈયાર છે. પઠાન ટીઝરમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. લોકોને પણ શાહરૂખ ખાનનો લુક પસંદ આવી રહ્યો છે. 

25 જાન્યુઆરીએ પઠાન ફિલ્મ રિલીઝ થશે

એક્શન ફિલ્મ પઠાનના ટીઝરમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ નજરમાં આવી રહ્યા છે. આ ટીઝરમાં તમને કિંગ ખાન અને જોન અબ્રાહમના એક્શન સીન જોવા મળશે. ટીઝરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લોકો પઠાનના ટીઝર પરથી ફિલ્મ મામલે એકદમ પોઝિટિવ પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેવું યશરાજ ફિલ્મસે ટીઝરમાં લખ્યું છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .