ચૂંટણી સમયે દીવ-દમણ જવાની યોજના બનાવતા પહેલા જાણીલો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2022-11-19 18:15:16

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણીના સમય દરમિયાન દીવ-દમણમાં દારૂ બંધી કરી દેવામાં આવી છે.  શિયાળાના સમયમાં ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો દીવ દમણ જઈ દારૂની મહેલી જમાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીના સમય દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના વહીવટી તંત્રએ ચૂંટણીના સમય દરમિયાન દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ... રૂ. 2.55 અબજનો દારૂ પકડાયો

6 દિવસ માટે દીવ દમણમાં રહેશે ડ્રાય ડે

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેને કારણે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ પ્રશાસને ચૂંટણીના સમય દરમિયાન દીવ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 29મી તારીખના સાંજના પાંચ વાગ્યાથી લઈ પહેલી ડિસેમ્બરના 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરથી પાંચ વાગ્યાથી લઈ 5 ડિસેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી દીવ દમણમાં દારૂબંધી રહેશે. વહીવટી તંત્ર દ્વારા  6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.          




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.