ચૂંટણી સમયે દીવ-દમણ જવાની યોજના બનાવતા પહેલા જાણીલો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2022-11-19 18:15:16

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણીના સમય દરમિયાન દીવ-દમણમાં દારૂ બંધી કરી દેવામાં આવી છે.  શિયાળાના સમયમાં ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો દીવ દમણ જઈ દારૂની મહેલી જમાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીના સમય દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના વહીવટી તંત્રએ ચૂંટણીના સમય દરમિયાન દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ... રૂ. 2.55 અબજનો દારૂ પકડાયો

6 દિવસ માટે દીવ દમણમાં રહેશે ડ્રાય ડે

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેને કારણે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ પ્રશાસને ચૂંટણીના સમય દરમિયાન દીવ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 29મી તારીખના સાંજના પાંચ વાગ્યાથી લઈ પહેલી ડિસેમ્બરના 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરથી પાંચ વાગ્યાથી લઈ 5 ડિસેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી દીવ દમણમાં દારૂબંધી રહેશે. વહીવટી તંત્ર દ્વારા  6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.