દેશનું આ રાજ્ય બન્યું Happiest State Of India, જાણો કયા આધારે કરવામાં આવે છે આવા સર્વે


  • Published By :
  • Published Date : 2023-04-19 16:30:54

દેશનું કયું રાજ્ય સૌથી ખુશ છે તેનો સર્વે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. એમઆઈડીના પ્રોફેસર રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતનું મિઝોરમ સૌથી હેપ્પી રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ ભારતમાં સાક્ષરતાના અનુસંધાને બીજા ક્રમે છે. 


મિઝોરમ બન્યું Happiest State Of India! 

ખુશ રહેવું દરેકને વધારે ગમે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ખુશી રહે. ત્યારે આજે ખુશી અંગે વાત નથી કરવાની પરંતુ ભારતનું એવું રાજ્ય જેને સૌથી વધારે ખુશ હોવાનું બિરૂદ્ધ મળ્યું છે. એમઆઈડીના પ્રોફેસર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટમાં મિઝોરમ સૌથી વધારે હેપ્પી રાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સર્વે અનેક માપદંડો પર આધારીત હોય છે. 


આ માપદંડો પર થાય છે સર્વે!  

જે માપદંડોના આધારે આ સર્વે કરવામાં આવે છે તેમાં પારિવારીક સંબંધો. સામાજીક મુદ્દાઓ, પરોપકાર ધર્મ, ખુશી, કામ સંબંધિત મુદ્દાઓ, શારિરિક તેમજ માનસિક આરોગ્યનો સમાવેશ થાય છે. ત્યારે  આ બધા માપદંડો પર મિઝોરમ રાજ્ય ખરૂ ઉતર્યું છે. એક અહેવાલ અનુસાર મિઝોરમમાં સાક્ષરતા વધારે છે.  ભલે મિઝોરમ આર્થિક દ્રષ્ટિએ થોડું નબળું રાજ્ય છે પણ સાક્ષરતાની દ્રષ્ટિએ આ રાજ્ય અનેક રાજ્યોને પાછળ પાડી દે તેવું છે. ત્યાંના બાળકો પણ આશાવાદી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.