દેશનું આ રાજ્ય બન્યું Happiest State Of India, જાણો કયા આધારે કરવામાં આવે છે આવા સર્વે


  • Published By :
  • Published Date : 2023-04-19 16:30:54

દેશનું કયું રાજ્ય સૌથી ખુશ છે તેનો સર્વે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. એમઆઈડીના પ્રોફેસર રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતનું મિઝોરમ સૌથી હેપ્પી રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ ભારતમાં સાક્ષરતાના અનુસંધાને બીજા ક્રમે છે. 


મિઝોરમ બન્યું Happiest State Of India! 

ખુશ રહેવું દરેકને વધારે ગમે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ખુશી રહે. ત્યારે આજે ખુશી અંગે વાત નથી કરવાની પરંતુ ભારતનું એવું રાજ્ય જેને સૌથી વધારે ખુશ હોવાનું બિરૂદ્ધ મળ્યું છે. એમઆઈડીના પ્રોફેસર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટમાં મિઝોરમ સૌથી વધારે હેપ્પી રાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સર્વે અનેક માપદંડો પર આધારીત હોય છે. 


આ માપદંડો પર થાય છે સર્વે!  

જે માપદંડોના આધારે આ સર્વે કરવામાં આવે છે તેમાં પારિવારીક સંબંધો. સામાજીક મુદ્દાઓ, પરોપકાર ધર્મ, ખુશી, કામ સંબંધિત મુદ્દાઓ, શારિરિક તેમજ માનસિક આરોગ્યનો સમાવેશ થાય છે. ત્યારે  આ બધા માપદંડો પર મિઝોરમ રાજ્ય ખરૂ ઉતર્યું છે. એક અહેવાલ અનુસાર મિઝોરમમાં સાક્ષરતા વધારે છે.  ભલે મિઝોરમ આર્થિક દ્રષ્ટિએ થોડું નબળું રાજ્ય છે પણ સાક્ષરતાની દ્રષ્ટિએ આ રાજ્ય અનેક રાજ્યોને પાછળ પાડી દે તેવું છે. ત્યાંના બાળકો પણ આશાવાદી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.