દેશનું આ રાજ્ય બન્યું Happiest State Of India, જાણો કયા આધારે કરવામાં આવે છે આવા સર્વે


  • Published By :
  • Published Date : 2023-04-19 16:30:54

દેશનું કયું રાજ્ય સૌથી ખુશ છે તેનો સર્વે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. એમઆઈડીના પ્રોફેસર રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતનું મિઝોરમ સૌથી હેપ્પી રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ ભારતમાં સાક્ષરતાના અનુસંધાને બીજા ક્રમે છે. 


મિઝોરમ બન્યું Happiest State Of India! 

ખુશ રહેવું દરેકને વધારે ગમે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ખુશી રહે. ત્યારે આજે ખુશી અંગે વાત નથી કરવાની પરંતુ ભારતનું એવું રાજ્ય જેને સૌથી વધારે ખુશ હોવાનું બિરૂદ્ધ મળ્યું છે. એમઆઈડીના પ્રોફેસર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટમાં મિઝોરમ સૌથી વધારે હેપ્પી રાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સર્વે અનેક માપદંડો પર આધારીત હોય છે. 


આ માપદંડો પર થાય છે સર્વે!  

જે માપદંડોના આધારે આ સર્વે કરવામાં આવે છે તેમાં પારિવારીક સંબંધો. સામાજીક મુદ્દાઓ, પરોપકાર ધર્મ, ખુશી, કામ સંબંધિત મુદ્દાઓ, શારિરિક તેમજ માનસિક આરોગ્યનો સમાવેશ થાય છે. ત્યારે  આ બધા માપદંડો પર મિઝોરમ રાજ્ય ખરૂ ઉતર્યું છે. એક અહેવાલ અનુસાર મિઝોરમમાં સાક્ષરતા વધારે છે.  ભલે મિઝોરમ આર્થિક દ્રષ્ટિએ થોડું નબળું રાજ્ય છે પણ સાક્ષરતાની દ્રષ્ટિએ આ રાજ્ય અનેક રાજ્યોને પાછળ પાડી દે તેવું છે. ત્યાંના બાળકો પણ આશાવાદી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.