કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો ક્યાંના અને કયા નેતાએ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 17:22:19

બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. થોડા સમયથી અટકળો ચાલી રહી હતી તે ડીસાના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.ત્યારે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે ખરેખર કોંગ્રેંસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસની કથળી જતી  હાલતને કારણે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા. ત્યારે દિગ્ગજ નેતાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગોવાભાઈ રબારીના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.

      

ગમે ત્યારે નેતા ધારણ કરી શકે છે કેસરિયો!

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. થોડા સમય પહેલા ગેનીબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ વાતનો ખુલાસો ગેનીબેને આપ્યો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાવાના. ત્યારે આવી જ અફવાઓ ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી માટે ચર્ચાતી હતી. ગમે ત્યારે તે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.