કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો ક્યાંના અને કયા નેતાએ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 17:22:19

બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. થોડા સમયથી અટકળો ચાલી રહી હતી તે ડીસાના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.ત્યારે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે ખરેખર કોંગ્રેંસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસની કથળી જતી  હાલતને કારણે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા. ત્યારે દિગ્ગજ નેતાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગોવાભાઈ રબારીના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.

      

ગમે ત્યારે નેતા ધારણ કરી શકે છે કેસરિયો!

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. થોડા સમય પહેલા ગેનીબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ વાતનો ખુલાસો ગેનીબેને આપ્યો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાવાના. ત્યારે આવી જ અફવાઓ ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી માટે ચર્ચાતી હતી. ગમે ત્યારે તે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.