કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો ક્યાંના અને કયા નેતાએ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 17:22:19

બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. થોડા સમયથી અટકળો ચાલી રહી હતી તે ડીસાના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.ત્યારે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે ખરેખર કોંગ્રેંસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસની કથળી જતી  હાલતને કારણે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા. ત્યારે દિગ્ગજ નેતાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગોવાભાઈ રબારીના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.

      

ગમે ત્યારે નેતા ધારણ કરી શકે છે કેસરિયો!

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. થોડા સમય પહેલા ગેનીબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ વાતનો ખુલાસો ગેનીબેને આપ્યો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાવાના. ત્યારે આવી જ અફવાઓ ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી માટે ચર્ચાતી હતી. ગમે ત્યારે તે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 





પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.