ભાજપના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કહ્યું અલવિદા, જાણો આપમાં કોના જવાથી ગરમાઈ રાજનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:53:01

ચૂંટણીનો સમય નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. અનેક નેતાઓ પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાય છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ અથવા તો આપમાં જોડાય છે. ત્યારે આ વખતે ભાજપના નેતા અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમી પાર્ટીનો હાથ થામી લીધો છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

કડીમાં આવ્યો રાજકીય ભૂકંપ 

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આવી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ભાજપમાંથી અનેક નેતાઓ આપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેસરીયો છોડી તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. કાંતિ સતારિયા ભાજપમાં જોડાતો રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. 

Bagasara APMC former chairman Kanti Satasia joined Aam Aadmi Party Gujarat Assembly Elections: અમરેલીના રાજકારણમાં ભૂકંપ, ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાજપ અને કોંગ્રેસ પર કેજરીવાલે કર્યા પ્રહાર 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉઁઝા ખાતે આપે સભા સંબોધી હતી જેમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર પણ આપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિકાસના નામે લોકોને છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનીટમાં લઈ લેશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.