ભાજપના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કહ્યું અલવિદા, જાણો આપમાં કોના જવાથી ગરમાઈ રાજનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:53:01

ચૂંટણીનો સમય નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. અનેક નેતાઓ પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાય છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ અથવા તો આપમાં જોડાય છે. ત્યારે આ વખતે ભાજપના નેતા અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમી પાર્ટીનો હાથ થામી લીધો છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

કડીમાં આવ્યો રાજકીય ભૂકંપ 

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આવી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ભાજપમાંથી અનેક નેતાઓ આપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેસરીયો છોડી તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. કાંતિ સતારિયા ભાજપમાં જોડાતો રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. 

Bagasara APMC former chairman Kanti Satasia joined Aam Aadmi Party Gujarat Assembly Elections: અમરેલીના રાજકારણમાં ભૂકંપ, ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાજપ અને કોંગ્રેસ પર કેજરીવાલે કર્યા પ્રહાર 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉઁઝા ખાતે આપે સભા સંબોધી હતી જેમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર પણ આપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિકાસના નામે લોકોને છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનીટમાં લઈ લેશે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"