ભાજપના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કહ્યું અલવિદા, જાણો આપમાં કોના જવાથી ગરમાઈ રાજનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:53:01

ચૂંટણીનો સમય નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. અનેક નેતાઓ પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાય છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ અથવા તો આપમાં જોડાય છે. ત્યારે આ વખતે ભાજપના નેતા અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમી પાર્ટીનો હાથ થામી લીધો છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

કડીમાં આવ્યો રાજકીય ભૂકંપ 

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આવી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ભાજપમાંથી અનેક નેતાઓ આપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેસરીયો છોડી તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. કાંતિ સતારિયા ભાજપમાં જોડાતો રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. 

Bagasara APMC former chairman Kanti Satasia joined Aam Aadmi Party Gujarat Assembly Elections: અમરેલીના રાજકારણમાં ભૂકંપ, ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાજપ અને કોંગ્રેસ પર કેજરીવાલે કર્યા પ્રહાર 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉઁઝા ખાતે આપે સભા સંબોધી હતી જેમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર પણ આપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિકાસના નામે લોકોને છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનીટમાં લઈ લેશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.