ભાજપના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કહ્યું અલવિદા, જાણો આપમાં કોના જવાથી ગરમાઈ રાજનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:53:01

ચૂંટણીનો સમય નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. અનેક નેતાઓ પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાય છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ અથવા તો આપમાં જોડાય છે. ત્યારે આ વખતે ભાજપના નેતા અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમી પાર્ટીનો હાથ થામી લીધો છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

કડીમાં આવ્યો રાજકીય ભૂકંપ 

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આવી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ભાજપમાંથી અનેક નેતાઓ આપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેસરીયો છોડી તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. કાંતિ સતારિયા ભાજપમાં જોડાતો રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. 

Bagasara APMC former chairman Kanti Satasia joined Aam Aadmi Party Gujarat Assembly Elections: અમરેલીના રાજકારણમાં ભૂકંપ, ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાજપ અને કોંગ્રેસ પર કેજરીવાલે કર્યા પ્રહાર 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉઁઝા ખાતે આપે સભા સંબોધી હતી જેમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર પણ આપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિકાસના નામે લોકોને છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનીટમાં લઈ લેશે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે