ભડકેલી હિંસા વચ્ચે મણિપુર પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, કાફલો રોકી દેવાતા કોંગ્રેસે કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-29 14:13:50

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અનેક વખત ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. સુરક્ષાબળોને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મણિપુરમાં શાંતી સ્થપાય તે માટે અમિત શાહે શાંતિ ફેલાય તે માટે સર્વ પક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. મણિપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે ગયા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

          

અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે કરી હતી બેઠક

3મેથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક દિવસો વિતી ગયા છતાંય ત્યાંની પરિસ્થિતિ સામાન્ય નથી થઈ. સ્થિતિને સામાન્ય કરવા સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પીએમ મોદીને પણ ત્યાંના નેતાઓએ પત્ર લખી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ આ મામલે પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહત્વનું છે કે અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. તે બાદ સર્વપક્ષીય બેઠક બોલાવી આ મામલે ચર્ચા કરી હતી. 


રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવાયો

મણિપુરમાં ફાટેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. બે દિવસના પ્રવાસે ગયા છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીના કાફલાને ઈમ્ફાલથી અનેક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.