ભડકેલી હિંસા વચ્ચે મણિપુર પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, કાફલો રોકી દેવાતા કોંગ્રેસે કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-29 14:13:50

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અનેક વખત ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. સુરક્ષાબળોને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મણિપુરમાં શાંતી સ્થપાય તે માટે અમિત શાહે શાંતિ ફેલાય તે માટે સર્વ પક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. મણિપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે ગયા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

          

અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે કરી હતી બેઠક

3મેથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક દિવસો વિતી ગયા છતાંય ત્યાંની પરિસ્થિતિ સામાન્ય નથી થઈ. સ્થિતિને સામાન્ય કરવા સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પીએમ મોદીને પણ ત્યાંના નેતાઓએ પત્ર લખી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ આ મામલે પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહત્વનું છે કે અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. તે બાદ સર્વપક્ષીય બેઠક બોલાવી આ મામલે ચર્ચા કરી હતી. 


રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવાયો

મણિપુરમાં ફાટેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. બે દિવસના પ્રવાસે ગયા છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીના કાફલાને ઈમ્ફાલથી અનેક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.