ભડકેલી હિંસા વચ્ચે મણિપુર પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, કાફલો રોકી દેવાતા કોંગ્રેસે કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-29 14:13:50

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અનેક વખત ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. સુરક્ષાબળોને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મણિપુરમાં શાંતી સ્થપાય તે માટે અમિત શાહે શાંતિ ફેલાય તે માટે સર્વ પક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. મણિપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે ગયા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

          

અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે કરી હતી બેઠક

3મેથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક દિવસો વિતી ગયા છતાંય ત્યાંની પરિસ્થિતિ સામાન્ય નથી થઈ. સ્થિતિને સામાન્ય કરવા સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પીએમ મોદીને પણ ત્યાંના નેતાઓએ પત્ર લખી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ આ મામલે પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહત્વનું છે કે અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. તે બાદ સર્વપક્ષીય બેઠક બોલાવી આ મામલે ચર્ચા કરી હતી. 


રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવાયો

મણિપુરમાં ફાટેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. બે દિવસના પ્રવાસે ગયા છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીના કાફલાને ઈમ્ફાલથી અનેક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.