ભડકેલી હિંસા વચ્ચે મણિપુર પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, કાફલો રોકી દેવાતા કોંગ્રેસે કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-29 14:13:50

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અનેક વખત ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. સુરક્ષાબળોને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મણિપુરમાં શાંતી સ્થપાય તે માટે અમિત શાહે શાંતિ ફેલાય તે માટે સર્વ પક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. મણિપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે ગયા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

          

અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે કરી હતી બેઠક

3મેથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક દિવસો વિતી ગયા છતાંય ત્યાંની પરિસ્થિતિ સામાન્ય નથી થઈ. સ્થિતિને સામાન્ય કરવા સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પીએમ મોદીને પણ ત્યાંના નેતાઓએ પત્ર લખી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ આ મામલે પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહત્વનું છે કે અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. તે બાદ સર્વપક્ષીય બેઠક બોલાવી આ મામલે ચર્ચા કરી હતી. 


રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવાયો

મણિપુરમાં ફાટેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. બે દિવસના પ્રવાસે ગયા છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીના કાફલાને ઈમ્ફાલથી અનેક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.