આ યુવકે વિદેશમાં જઈ ગુજરાતનું નામ બદનામ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:45:17

વિદેશ જઈ ડોલરમાં કમાવી લેવાની ઘેલછામાં લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. લોકો નકલી ડોક્યુમેન્ટ, પાસપોર્ટના સહારે વિદેશ તો પહોંચી જતા હોય છે, પરંતુ લાયકાત ન હોવા છતા ગયેલા આવા લોકો પોતે તો વિદેશમાં ફસાતા હોય છે પણ સાથે-સાથે ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરીકોનું નામ પણ બદનામ કરતા હોય છે. ત્યારે ફરીએક વખત આવી ધટના સામે આવી છે.


12મું નાપાસ યુવક નકલી સ્ટુડન્ટ વિઝા મેેળવી અમેરિકા પહોંચવા નીકળ્યો

વર્ષિલ ધોબી નામનો યુવક સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની કોલેજમાં એડમિશન તો લીધું પરંતુ એક દિવસ પણ કોલેજ ગયો ન હતો. 25 દિવસ કેનેડામાં રહ્યા બાદ વર્ષિલના એજન્ટે કેનેડાથી ગેરકાયદેસર રીતે તેને અમેરિકા મોકલવાનો તખતો તૈયાર કર્યો હતો પરંતુ અમેરિકાની પોલીસે તેને અને તેના સાથીદારને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ અમેરિકન પોલીસે કેનેડાની સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. કેનેડિયન પોલીસે તેની કોલેજમા તપાસ કરતા ખબર પડી કે આ યુવકની 10 અને 12ની માર્કશીટ નકલી છે.

  

એજન્ટે 65 લાખની માગણી કરી હતી 

વર્ષીલને અમેરિકા મોકલવા માટે એજન્ટે તેના પિતા પાસે 2021માં 65 લાખની માગણી કરી હતી. જેમાંથી 30 લાખ વર્ષીલના પિતાએ આપી દીધા હતા. જેથી એજન્ટે કેનેડાના વિઝા અને ત્યાંની કોલેજમાં એડમિશન અપાવવાનું અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાનો પ્લાન રચ્યો હતો પરંતુ વર્ષીલ અને તેના સાથીદારોને કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં અમેરિકન પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સવાલ એ પણ છે કે વર્ષિલ ધો.10-12માં નાપાસ હોવા છતાં IELTSનું સર્ટિફિકેટ તેને કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે. 

.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.