આ યુવકે વિદેશમાં જઈ ગુજરાતનું નામ બદનામ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:45:17

વિદેશ જઈ ડોલરમાં કમાવી લેવાની ઘેલછામાં લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. લોકો નકલી ડોક્યુમેન્ટ, પાસપોર્ટના સહારે વિદેશ તો પહોંચી જતા હોય છે, પરંતુ લાયકાત ન હોવા છતા ગયેલા આવા લોકો પોતે તો વિદેશમાં ફસાતા હોય છે પણ સાથે-સાથે ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરીકોનું નામ પણ બદનામ કરતા હોય છે. ત્યારે ફરીએક વખત આવી ધટના સામે આવી છે.


12મું નાપાસ યુવક નકલી સ્ટુડન્ટ વિઝા મેેળવી અમેરિકા પહોંચવા નીકળ્યો

વર્ષિલ ધોબી નામનો યુવક સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની કોલેજમાં એડમિશન તો લીધું પરંતુ એક દિવસ પણ કોલેજ ગયો ન હતો. 25 દિવસ કેનેડામાં રહ્યા બાદ વર્ષિલના એજન્ટે કેનેડાથી ગેરકાયદેસર રીતે તેને અમેરિકા મોકલવાનો તખતો તૈયાર કર્યો હતો પરંતુ અમેરિકાની પોલીસે તેને અને તેના સાથીદારને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ અમેરિકન પોલીસે કેનેડાની સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. કેનેડિયન પોલીસે તેની કોલેજમા તપાસ કરતા ખબર પડી કે આ યુવકની 10 અને 12ની માર્કશીટ નકલી છે.

  

એજન્ટે 65 લાખની માગણી કરી હતી 

વર્ષીલને અમેરિકા મોકલવા માટે એજન્ટે તેના પિતા પાસે 2021માં 65 લાખની માગણી કરી હતી. જેમાંથી 30 લાખ વર્ષીલના પિતાએ આપી દીધા હતા. જેથી એજન્ટે કેનેડાના વિઝા અને ત્યાંની કોલેજમાં એડમિશન અપાવવાનું અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાનો પ્લાન રચ્યો હતો પરંતુ વર્ષીલ અને તેના સાથીદારોને કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં અમેરિકન પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સવાલ એ પણ છે કે વર્ષિલ ધો.10-12માં નાપાસ હોવા છતાં IELTSનું સર્ટિફિકેટ તેને કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે. 

.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"