આ યુવકે વિદેશમાં જઈ ગુજરાતનું નામ બદનામ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:45:17

વિદેશ જઈ ડોલરમાં કમાવી લેવાની ઘેલછામાં લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. લોકો નકલી ડોક્યુમેન્ટ, પાસપોર્ટના સહારે વિદેશ તો પહોંચી જતા હોય છે, પરંતુ લાયકાત ન હોવા છતા ગયેલા આવા લોકો પોતે તો વિદેશમાં ફસાતા હોય છે પણ સાથે-સાથે ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરીકોનું નામ પણ બદનામ કરતા હોય છે. ત્યારે ફરીએક વખત આવી ધટના સામે આવી છે.


12મું નાપાસ યુવક નકલી સ્ટુડન્ટ વિઝા મેેળવી અમેરિકા પહોંચવા નીકળ્યો

વર્ષિલ ધોબી નામનો યુવક સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની કોલેજમાં એડમિશન તો લીધું પરંતુ એક દિવસ પણ કોલેજ ગયો ન હતો. 25 દિવસ કેનેડામાં રહ્યા બાદ વર્ષિલના એજન્ટે કેનેડાથી ગેરકાયદેસર રીતે તેને અમેરિકા મોકલવાનો તખતો તૈયાર કર્યો હતો પરંતુ અમેરિકાની પોલીસે તેને અને તેના સાથીદારને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ અમેરિકન પોલીસે કેનેડાની સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. કેનેડિયન પોલીસે તેની કોલેજમા તપાસ કરતા ખબર પડી કે આ યુવકની 10 અને 12ની માર્કશીટ નકલી છે.

  

એજન્ટે 65 લાખની માગણી કરી હતી 

વર્ષીલને અમેરિકા મોકલવા માટે એજન્ટે તેના પિતા પાસે 2021માં 65 લાખની માગણી કરી હતી. જેમાંથી 30 લાખ વર્ષીલના પિતાએ આપી દીધા હતા. જેથી એજન્ટે કેનેડાના વિઝા અને ત્યાંની કોલેજમાં એડમિશન અપાવવાનું અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાનો પ્લાન રચ્યો હતો પરંતુ વર્ષીલ અને તેના સાથીદારોને કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં અમેરિકન પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સવાલ એ પણ છે કે વર્ષિલ ધો.10-12માં નાપાસ હોવા છતાં IELTSનું સર્ટિફિકેટ તેને કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે. 

.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.