Adivasi સંમેલનમાં પહોંચેલા હજારો આદિવાસીઓએ MLA Chaitar Vasavaને યાદ કર્યા, બૂમો પાડી કહ્યું કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 09:38:12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત આવતા રહે છે. ચૈતર વસાવાના સમર્થકો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નિકાળતા હોય છે. અલગ અલગ માધ્યમોથી લોકો સુધી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પોલીસ સમક્ષ જ્યારે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો તેમજ આપના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. સેલવાસ ખાતે આયોજીત આદિવાસી સંમેલનમાં પણ આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં બૂમો પાડી હતી અને નારા લગાવ્યા હતા કે ચૈતર વસાવા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હેં.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા ગુજરાત 

વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈ અપડેટને કારણે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચર્ચામાં હોય છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ જેલમાંથી પણ તે પોતાના સમર્થકોને સંદેશો મોકલે છે. ચૈતર વસાવાના સમર્થકોએ અનેક વખત ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવ્યા હતા. નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. 


આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાને કર્યા યાદ 

મહત્વનું છે કે આની પહેલા ચૈતર વસાવાએ આ અંગે વાત કરી હતી. તે ગમે ત્યાં હોય પણ તે લોકસભાની ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતાના સમર્થકોને તેમજ આપના કાર્યકર્તાઓને આ અંગે કામ પર લાગી જવા માટે કહ્યું હતું. આદિવાસી સમાજના લોકો અનેક વખત ચૈતર વસાવાને યાદ કરતા હોય છે, તેમના નામની બૂમો પાડતા હોય છે ત્યારે આદિવાસી સંમેલનમાં ચૈતર વસાવાના નામની બૂમો પાડી અને તેમને યાદ કર્યા હતા.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.