Adivasi સંમેલનમાં પહોંચેલા હજારો આદિવાસીઓએ MLA Chaitar Vasavaને યાદ કર્યા, બૂમો પાડી કહ્યું કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 09:38:12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત આવતા રહે છે. ચૈતર વસાવાના સમર્થકો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નિકાળતા હોય છે. અલગ અલગ માધ્યમોથી લોકો સુધી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પોલીસ સમક્ષ જ્યારે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો તેમજ આપના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. સેલવાસ ખાતે આયોજીત આદિવાસી સંમેલનમાં પણ આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં બૂમો પાડી હતી અને નારા લગાવ્યા હતા કે ચૈતર વસાવા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હેં.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા ગુજરાત 

વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈ અપડેટને કારણે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચર્ચામાં હોય છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ જેલમાંથી પણ તે પોતાના સમર્થકોને સંદેશો મોકલે છે. ચૈતર વસાવાના સમર્થકોએ અનેક વખત ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવ્યા હતા. નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. 


આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાને કર્યા યાદ 

મહત્વનું છે કે આની પહેલા ચૈતર વસાવાએ આ અંગે વાત કરી હતી. તે ગમે ત્યાં હોય પણ તે લોકસભાની ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતાના સમર્થકોને તેમજ આપના કાર્યકર્તાઓને આ અંગે કામ પર લાગી જવા માટે કહ્યું હતું. આદિવાસી સમાજના લોકો અનેક વખત ચૈતર વસાવાને યાદ કરતા હોય છે, તેમના નામની બૂમો પાડતા હોય છે ત્યારે આદિવાસી સંમેલનમાં ચૈતર વસાવાના નામની બૂમો પાડી અને તેમને યાદ કર્યા હતા.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે