ફ્લાવર શોમાં ઉમટી જનમેદની, કોરોનાની દહેશત વચ્ચે હજારો લોકોએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-09 09:01:11

કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટવાને કારણે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભવ્ય આયોજન થતા લોકોમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે ફ્લાવર શોની મુલાકાત 60 હજારથી પણ વધારે લોકોએ લીધી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


કોરોના સંક્રમણ ઘટતા યોજાયા અનેક કાર્યક્રમો 

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તો અનેક લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમણને કારણે મોટા પાયે થતા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં યોજાતા અને કાર્યક્રમો યોજવામાં ન આવ્યા હતા. દરેક વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થતું હોય છે. પરંતુ કોરોનાને કારણે એનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. તે ઉપરાંત ફ્લાવર શો પણ યોજવામાં આવ્યો ન હતો. તે સિવાય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. 



ફ્લાવર શો તેમજ પતંગોત્સવમાં ઉમટ્યું માનવમહેરામણ 

આ વખતે કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાને કારણે લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેને કારણે અટલ બ્રિજ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત ફ્લાવર શોને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.  રીવર ફ્રન્ટ રોડ, આશ્રમ રોડ તેમજ જમાલપુર-પાલડીના રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.



આવનાર સમયમાં વધી શકે છે કોરોના સંક્રમણ 

આટલી બધી ભીડ એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી ઉઠ્યો છે. એક તરફ સરકાર કોરોનાને ગંભીરતાથી લેવાની વાતો કરે છે, સાવચેતી રાખવાની વાતો કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા જ આવા આયોજન કરી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ શું ખરેખર ગાઈડલાઈન્સનું પાલન થતું હશે? આવનાર સમયમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.