ફ્લાવર શોમાં ઉમટી જનમેદની, કોરોનાની દહેશત વચ્ચે હજારો લોકોએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-09 09:01:11

કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટવાને કારણે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભવ્ય આયોજન થતા લોકોમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે ફ્લાવર શોની મુલાકાત 60 હજારથી પણ વધારે લોકોએ લીધી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


કોરોના સંક્રમણ ઘટતા યોજાયા અનેક કાર્યક્રમો 

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તો અનેક લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમણને કારણે મોટા પાયે થતા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં યોજાતા અને કાર્યક્રમો યોજવામાં ન આવ્યા હતા. દરેક વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થતું હોય છે. પરંતુ કોરોનાને કારણે એનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. તે ઉપરાંત ફ્લાવર શો પણ યોજવામાં આવ્યો ન હતો. તે સિવાય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. 



ફ્લાવર શો તેમજ પતંગોત્સવમાં ઉમટ્યું માનવમહેરામણ 

આ વખતે કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાને કારણે લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેને કારણે અટલ બ્રિજ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત ફ્લાવર શોને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.  રીવર ફ્રન્ટ રોડ, આશ્રમ રોડ તેમજ જમાલપુર-પાલડીના રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.



આવનાર સમયમાં વધી શકે છે કોરોના સંક્રમણ 

આટલી બધી ભીડ એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી ઉઠ્યો છે. એક તરફ સરકાર કોરોનાને ગંભીરતાથી લેવાની વાતો કરે છે, સાવચેતી રાખવાની વાતો કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા જ આવા આયોજન કરી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ શું ખરેખર ગાઈડલાઈન્સનું પાલન થતું હશે? આવનાર સમયમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.