ફ્લાવર શોમાં ઉમટી જનમેદની, કોરોનાની દહેશત વચ્ચે હજારો લોકોએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-09 09:01:11

કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટવાને કારણે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભવ્ય આયોજન થતા લોકોમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે ફ્લાવર શોની મુલાકાત 60 હજારથી પણ વધારે લોકોએ લીધી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


કોરોના સંક્રમણ ઘટતા યોજાયા અનેક કાર્યક્રમો 

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તો અનેક લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમણને કારણે મોટા પાયે થતા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં યોજાતા અને કાર્યક્રમો યોજવામાં ન આવ્યા હતા. દરેક વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થતું હોય છે. પરંતુ કોરોનાને કારણે એનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. તે ઉપરાંત ફ્લાવર શો પણ યોજવામાં આવ્યો ન હતો. તે સિવાય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. 



ફ્લાવર શો તેમજ પતંગોત્સવમાં ઉમટ્યું માનવમહેરામણ 

આ વખતે કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાને કારણે લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેને કારણે અટલ બ્રિજ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત ફ્લાવર શોને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.  રીવર ફ્રન્ટ રોડ, આશ્રમ રોડ તેમજ જમાલપુર-પાલડીના રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.



આવનાર સમયમાં વધી શકે છે કોરોના સંક્રમણ 

આટલી બધી ભીડ એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી ઉઠ્યો છે. એક તરફ સરકાર કોરોનાને ગંભીરતાથી લેવાની વાતો કરે છે, સાવચેતી રાખવાની વાતો કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા જ આવા આયોજન કરી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ શું ખરેખર ગાઈડલાઈન્સનું પાલન થતું હશે? આવનાર સમયમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.