ફ્લાવર શોમાં ઉમટી જનમેદની, કોરોનાની દહેશત વચ્ચે હજારો લોકોએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-09 09:01:11

કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટવાને કારણે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભવ્ય આયોજન થતા લોકોમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે ફ્લાવર શોની મુલાકાત 60 હજારથી પણ વધારે લોકોએ લીધી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


કોરોના સંક્રમણ ઘટતા યોજાયા અનેક કાર્યક્રમો 

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તો અનેક લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમણને કારણે મોટા પાયે થતા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં યોજાતા અને કાર્યક્રમો યોજવામાં ન આવ્યા હતા. દરેક વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થતું હોય છે. પરંતુ કોરોનાને કારણે એનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. તે ઉપરાંત ફ્લાવર શો પણ યોજવામાં આવ્યો ન હતો. તે સિવાય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. 



ફ્લાવર શો તેમજ પતંગોત્સવમાં ઉમટ્યું માનવમહેરામણ 

આ વખતે કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાને કારણે લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેને કારણે અટલ બ્રિજ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત ફ્લાવર શોને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.  રીવર ફ્રન્ટ રોડ, આશ્રમ રોડ તેમજ જમાલપુર-પાલડીના રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.



આવનાર સમયમાં વધી શકે છે કોરોના સંક્રમણ 

આટલી બધી ભીડ એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી ઉઠ્યો છે. એક તરફ સરકાર કોરોનાને ગંભીરતાથી લેવાની વાતો કરે છે, સાવચેતી રાખવાની વાતો કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા જ આવા આયોજન કરી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ શું ખરેખર ગાઈડલાઈન્સનું પાલન થતું હશે? આવનાર સમયમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.