Gujarat પર તોળાતું વાવાઝોડા 'તેજ'નું સંકટ, આ તારીખો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-10-19 16:45:20

ગુજરાતમાં થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાતને વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ તે બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં તોફાન મચાવી શકે છે. 21 ઓક્ટોબર સુધી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.  


ગુજરાત પર વાવાઝોડા 'તેજ'નું સંકટ

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ અનેક જગ્યાઓ પરથી વરસાદ વરસવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતને ફરી એક વખત ચક્રવાત માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બિપોરજોય બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાત બિપોરજોય જેવું શક્તિશાળી હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બિપોરજોય જેટલું ભયંકર હશે આ વાવાઝોડું! 

અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. આ વખતનું  ચોમાસું એકદમ અનિયમિત રહ્યું છે. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું. અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે પૂર સર્જાયું. ત્યારે હવે ખેડૂતોની ચિંતા આ વાવાઝોડાએ વધારી છે. 21 ઓક્ટોબર સુધીમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 


વાવાઝોડું કઈ દિશામાં જશે તે અનિશ્ચિત! 

હાલ હવામાનની સ્થિતિને જોતા અરબ સાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિન્દ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામની ફોર્મુલાના આધાર પર આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવશે. મહત્વનું છે કે હજુ સુધી આ વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે તેની પર નજર રહેશે. મહત્વનું છે કે બહુ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .