Gujarat પર તોળાતું વાવાઝોડા 'તેજ'નું સંકટ, આ તારીખો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-10-19 16:45:20

ગુજરાતમાં થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાતને વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ તે બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં તોફાન મચાવી શકે છે. 21 ઓક્ટોબર સુધી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.  


ગુજરાત પર વાવાઝોડા 'તેજ'નું સંકટ

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ અનેક જગ્યાઓ પરથી વરસાદ વરસવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતને ફરી એક વખત ચક્રવાત માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બિપોરજોય બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાત બિપોરજોય જેવું શક્તિશાળી હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બિપોરજોય જેટલું ભયંકર હશે આ વાવાઝોડું! 

અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. આ વખતનું  ચોમાસું એકદમ અનિયમિત રહ્યું છે. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું. અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે પૂર સર્જાયું. ત્યારે હવે ખેડૂતોની ચિંતા આ વાવાઝોડાએ વધારી છે. 21 ઓક્ટોબર સુધીમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 


વાવાઝોડું કઈ દિશામાં જશે તે અનિશ્ચિત! 

હાલ હવામાનની સ્થિતિને જોતા અરબ સાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિન્દ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામની ફોર્મુલાના આધાર પર આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવશે. મહત્વનું છે કે હજુ સુધી આ વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે તેની પર નજર રહેશે. મહત્વનું છે કે બહુ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.