Gujarat પર તોળાતું વાવાઝોડા 'તેજ'નું સંકટ, આ તારીખો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-10-19 16:45:20

ગુજરાતમાં થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાતને વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ તે બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં તોફાન મચાવી શકે છે. 21 ઓક્ટોબર સુધી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.  


ગુજરાત પર વાવાઝોડા 'તેજ'નું સંકટ

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ અનેક જગ્યાઓ પરથી વરસાદ વરસવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતને ફરી એક વખત ચક્રવાત માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બિપોરજોય બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાત બિપોરજોય જેવું શક્તિશાળી હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બિપોરજોય જેટલું ભયંકર હશે આ વાવાઝોડું! 

અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. આ વખતનું  ચોમાસું એકદમ અનિયમિત રહ્યું છે. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું. અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે પૂર સર્જાયું. ત્યારે હવે ખેડૂતોની ચિંતા આ વાવાઝોડાએ વધારી છે. 21 ઓક્ટોબર સુધીમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 


વાવાઝોડું કઈ દિશામાં જશે તે અનિશ્ચિત! 

હાલ હવામાનની સ્થિતિને જોતા અરબ સાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિન્દ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામની ફોર્મુલાના આધાર પર આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવશે. મહત્વનું છે કે હજુ સુધી આ વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે તેની પર નજર રહેશે. મહત્વનું છે કે બહુ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.