રાજ્યમાં ફરી માવઠાનો ખતરો, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતાતુર


  • Published By :
  • Published Date : 2024-01-07 11:17:28

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્ય હવામાન વિભાગે 8, 9 જાન્યુઆરીએ આગાહી કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવે ભરશિયાળે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. જો કે આજે સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં આ વિસ્તોરમાં થશે માવઠું


અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી પાંચ દિવસનું હવામાન જણાવ્યુ હતું. જેમા તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાનો છે. રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે. જ્યારે ત્રીજા એટલે કે આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, નવમી તારીખે ચોથા દિવસે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાતમાં હળવું ઝાપટું


માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાંપટા શરૂ થયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ માવઠું શરૂ થયુ છે. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માગસર મહિનામાં વરસાદી ઝાપટું થયુ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ વધશે. માવઠુ થતાં જ ખેડૂતોમાં ચિંતા પેઠી છે, માવઠાની અસરથી કેટલાય પાકોને મોટુ નુકસાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.