રાજ્યમાં ફરી માવઠાનો ખતરો, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતાતુર


  • Published By :
  • Published Date : 2024-01-07 11:17:28

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્ય હવામાન વિભાગે 8, 9 જાન્યુઆરીએ આગાહી કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવે ભરશિયાળે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. જો કે આજે સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં આ વિસ્તોરમાં થશે માવઠું


અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી પાંચ દિવસનું હવામાન જણાવ્યુ હતું. જેમા તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાનો છે. રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે. જ્યારે ત્રીજા એટલે કે આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, નવમી તારીખે ચોથા દિવસે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાતમાં હળવું ઝાપટું


માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાંપટા શરૂ થયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ માવઠું શરૂ થયુ છે. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માગસર મહિનામાં વરસાદી ઝાપટું થયુ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ વધશે. માવઠુ થતાં જ ખેડૂતોમાં ચિંતા પેઠી છે, માવઠાની અસરથી કેટલાય પાકોને મોટુ નુકસાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.