NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક


  • Published By :
  • Published Date : 2023-02-03 16:53:37

આતંકી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈમાં આતંકી હુમલો થવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. એનઆઈએને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે NIAએ મુંબઈ પોલીસને માહિતી આપી હતી. અને આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી હતી.

   

ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સી થઈ એલર્ટ

એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈ-મેઈલ મળ્યો હતો. આ મેલમાં સાધારણ મેઈલ નહીં પરંતુ ધમકી ભર્યો ઈમેઈલ હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણા્યું હતું. ધમકીભરેલો ઈમેઈલ મળી આવતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સિવાય દેશના વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

    

અનેક સ્થળો પર હાથ ધરાયું ચેકિંગ  

ઈમેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીની આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસ દ્વારા વિવિધ સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.