NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક


  • Published By :
  • Published Date : 2023-02-03 16:53:37

આતંકી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈમાં આતંકી હુમલો થવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. એનઆઈએને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે NIAએ મુંબઈ પોલીસને માહિતી આપી હતી. અને આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી હતી.

   

ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સી થઈ એલર્ટ

એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈ-મેઈલ મળ્યો હતો. આ મેલમાં સાધારણ મેઈલ નહીં પરંતુ ધમકી ભર્યો ઈમેઈલ હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણા્યું હતું. ધમકીભરેલો ઈમેઈલ મળી આવતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સિવાય દેશના વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

    

અનેક સ્થળો પર હાથ ધરાયું ચેકિંગ  

ઈમેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીની આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસ દ્વારા વિવિધ સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.