NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક


  • Published By :
  • Published Date : 2023-02-03 16:53:37

આતંકી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈમાં આતંકી હુમલો થવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. એનઆઈએને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે NIAએ મુંબઈ પોલીસને માહિતી આપી હતી. અને આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી હતી.

   

ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સી થઈ એલર્ટ

એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈ-મેઈલ મળ્યો હતો. આ મેલમાં સાધારણ મેઈલ નહીં પરંતુ ધમકી ભર્યો ઈમેઈલ હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણા્યું હતું. ધમકીભરેલો ઈમેઈલ મળી આવતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સિવાય દેશના વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

    

અનેક સ્થળો પર હાથ ધરાયું ચેકિંગ  

ઈમેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીની આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસ દ્વારા વિવિધ સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.