NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક


  • Published By :
  • Published Date : 2023-02-03 16:53:37

આતંકી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈમાં આતંકી હુમલો થવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. એનઆઈએને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે NIAએ મુંબઈ પોલીસને માહિતી આપી હતી. અને આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી હતી.

   

ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સી થઈ એલર્ટ

એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈ-મેઈલ મળ્યો હતો. આ મેલમાં સાધારણ મેઈલ નહીં પરંતુ ધમકી ભર્યો ઈમેઈલ હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણા્યું હતું. ધમકીભરેલો ઈમેઈલ મળી આવતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સિવાય દેશના વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

    

અનેક સ્થળો પર હાથ ધરાયું ચેકિંગ  

ઈમેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીની આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસ દ્વારા વિવિધ સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.