લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:43:09

અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર બન્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બે વ્યક્તિના મોત ઘટનાસ્થળ પર નિપજ્યાં હતા. આઈસર પાછળ કાર ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. અનેક કારણોસર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળ સ્થળ પર મોત થયા છે. મળતી માહિતી અનુસાર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.