લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:43:09

અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર બન્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બે વ્યક્તિના મોત ઘટનાસ્થળ પર નિપજ્યાં હતા. આઈસર પાછળ કાર ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. અનેક કારણોસર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળ સ્થળ પર મોત થયા છે. મળતી માહિતી અનુસાર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.