લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:43:09

અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર બન્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બે વ્યક્તિના મોત ઘટનાસ્થળ પર નિપજ્યાં હતા. આઈસર પાછળ કાર ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. અનેક કારણોસર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળ સ્થળ પર મોત થયા છે. મળતી માહિતી અનુસાર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.