લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:43:09

અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર બન્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બે વ્યક્તિના મોત ઘટનાસ્થળ પર નિપજ્યાં હતા. આઈસર પાછળ કાર ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. અનેક કારણોસર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળ સ્થળ પર મોત થયા છે. મળતી માહિતી અનુસાર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.