નવી મુંબઈમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાઈ, અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા, ચાલી રહી છે બચાવ કામગીરી


  • Published By :
  • Published Date : 2024-07-27 12:09:32

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે.. નવી મુંબઈના શાહબાઝ ગામમાં આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગ ધરાશાઈ થતા અનેક લોકો કાટમાળમાં દબાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાઈ થઈ!

ચોમાસા દરમિયાન અનેક વખત બનાવ બનતા હોય છે બિલ્ડીંગ ધરાશાઈ થવાના.. અનેક લોકો કાટમાળની નીચે દબાઈ જતા મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજા પામતા હોય છે. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવી મુંબઈના શાહબાઝ વિસ્તારમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ નામની ત્રણ માળની ઈમારત અચાનક પડી ગઈ હતી. આ બિલ્ડીંગમાં 24 જેટલા પરિવારો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાઈ થતા ઘણા લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ઉત્તરાખંડમાં પણ બની ઘટના જેમાં...!

ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ગઈ હતી. પોલીસ, એનડીઆરએફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગો ધરાશાઈ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દુકાનો ધરાશાઈ ગઈ..  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.