નવી મુંબઈમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાઈ, અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા, ચાલી રહી છે બચાવ કામગીરી


  • Published By :
  • Published Date : 2024-07-27 12:09:32

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે.. નવી મુંબઈના શાહબાઝ ગામમાં આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગ ધરાશાઈ થતા અનેક લોકો કાટમાળમાં દબાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાઈ થઈ!

ચોમાસા દરમિયાન અનેક વખત બનાવ બનતા હોય છે બિલ્ડીંગ ધરાશાઈ થવાના.. અનેક લોકો કાટમાળની નીચે દબાઈ જતા મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજા પામતા હોય છે. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવી મુંબઈના શાહબાઝ વિસ્તારમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ નામની ત્રણ માળની ઈમારત અચાનક પડી ગઈ હતી. આ બિલ્ડીંગમાં 24 જેટલા પરિવારો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાઈ થતા ઘણા લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ઉત્તરાખંડમાં પણ બની ઘટના જેમાં...!

ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ગઈ હતી. પોલીસ, એનડીઆરએફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગો ધરાશાઈ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દુકાનો ધરાશાઈ ગઈ..  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.