તિહાડ જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈન આવ્યા ચર્ચામાં! પત્રમાં જેલરને લખ્યું' હું એકલતા અનુભવું છું, મારી સાથે કોઈને...' જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:51:18

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહેલા સત્યેન્દ્ર જૈન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જેલરને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તે એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમના સેલમાં કેદીઓની સંખ્યા વધારવામાં આવે. તેમની સાથે ઓછામાં ઓછા બેથી ત્રણ કેદીઓને રાખવામાં આવે તેવો પત્ર તિહાડ જેલ અધિક્ષકને લખેલો પત્ર હાલ ચર્ચામાં આવ્યો છે.

   


પોતાના સેલમાં બે લોકોને શિફ્ટ કરવા લખ્યો પત્ર! 

ઘણા સમયથી દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય સત્યેન્દ્ર જૈન અનેક વખત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા જેલમાં મસાજ કરાવતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે જેલ નિરીક્ષકને લખેલો પત્ર ચર્ચામાં છે. સત્યૈન્દ્ર જૈને જેલ નંબર સાતના સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી હતી કે એકલતાને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. એટલે તેમની સાથે બે અન્ય કેદિયોને રાખવામાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે. 


મસાજ કરાવતો વીડિયો થયો હતો વાયરલ!

સત્યેન્દ્ર જૈને જે પ્રમાણે માગ કરી હતી તે પ્રમાણે બે લોકોને તેમની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલો સામે આવતા તિહાડ જેલ પ્રશાસને જેલ સુપ્રિટેન્ડન્ટને કારણ બતાવવા નોટિસ મોકલી હતી. મળતી માહિતી અનુસાર બંને કેદીઓને પોતાના સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.