તિહાડ જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈન આવ્યા ચર્ચામાં! પત્રમાં જેલરને લખ્યું' હું એકલતા અનુભવું છું, મારી સાથે કોઈને...' જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:51:18

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહેલા સત્યેન્દ્ર જૈન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જેલરને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તે એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમના સેલમાં કેદીઓની સંખ્યા વધારવામાં આવે. તેમની સાથે ઓછામાં ઓછા બેથી ત્રણ કેદીઓને રાખવામાં આવે તેવો પત્ર તિહાડ જેલ અધિક્ષકને લખેલો પત્ર હાલ ચર્ચામાં આવ્યો છે.

   


પોતાના સેલમાં બે લોકોને શિફ્ટ કરવા લખ્યો પત્ર! 

ઘણા સમયથી દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય સત્યેન્દ્ર જૈન અનેક વખત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા જેલમાં મસાજ કરાવતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે જેલ નિરીક્ષકને લખેલો પત્ર ચર્ચામાં છે. સત્યૈન્દ્ર જૈને જેલ નંબર સાતના સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી હતી કે એકલતાને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. એટલે તેમની સાથે બે અન્ય કેદિયોને રાખવામાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે. 


મસાજ કરાવતો વીડિયો થયો હતો વાયરલ!

સત્યેન્દ્ર જૈને જે પ્રમાણે માગ કરી હતી તે પ્રમાણે બે લોકોને તેમની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલો સામે આવતા તિહાડ જેલ પ્રશાસને જેલ સુપ્રિટેન્ડન્ટને કારણ બતાવવા નોટિસ મોકલી હતી. મળતી માહિતી અનુસાર બંને કેદીઓને પોતાના સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.