તિહાડ જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈન આવ્યા ચર્ચામાં! પત્રમાં જેલરને લખ્યું' હું એકલતા અનુભવું છું, મારી સાથે કોઈને...' જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:51:18

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહેલા સત્યેન્દ્ર જૈન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જેલરને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તે એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમના સેલમાં કેદીઓની સંખ્યા વધારવામાં આવે. તેમની સાથે ઓછામાં ઓછા બેથી ત્રણ કેદીઓને રાખવામાં આવે તેવો પત્ર તિહાડ જેલ અધિક્ષકને લખેલો પત્ર હાલ ચર્ચામાં આવ્યો છે.

   


પોતાના સેલમાં બે લોકોને શિફ્ટ કરવા લખ્યો પત્ર! 

ઘણા સમયથી દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય સત્યેન્દ્ર જૈન અનેક વખત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા જેલમાં મસાજ કરાવતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે જેલ નિરીક્ષકને લખેલો પત્ર ચર્ચામાં છે. સત્યૈન્દ્ર જૈને જેલ નંબર સાતના સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી હતી કે એકલતાને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. એટલે તેમની સાથે બે અન્ય કેદિયોને રાખવામાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે. 


મસાજ કરાવતો વીડિયો થયો હતો વાયરલ!

સત્યેન્દ્ર જૈને જે પ્રમાણે માગ કરી હતી તે પ્રમાણે બે લોકોને તેમની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલો સામે આવતા તિહાડ જેલ પ્રશાસને જેલ સુપ્રિટેન્ડન્ટને કારણ બતાવવા નોટિસ મોકલી હતી. મળતી માહિતી અનુસાર બંને કેદીઓને પોતાના સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.