રાષ્ટ્રપતિ અંગે કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા ટીએમસી નેતા અખિલ ગીરીએ કહ્યું - હું દિલગીર છું


  • Published By :
  • Published Date : 2022-11-12 17:02:15

મમતા બેનર્જી સરકારના નેતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. નંદીગ્રામ ખાતે આયોજીત સભામાં સંબોધન કરતી વખતે અખિલ ગીરીએ રાષ્ટ્રપતિને લઈ શરમજનક ટિપ્પણી કરી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. અખિલ ગીરીએ પોતાના આ નિવેદનને લઈ માફી પણ માગી લીધી છે. 


રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો હું માફી માગું છું - અખિલ ગિરી   

પોતાની વાત રજૂ કરતા અખિલ ગીરીએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈનું નામ લીધું ન હતું. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો તે માટે હું માફી માગું છું. પોતાના સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અને રાષ્ટ્રપતિ પદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે.

   

નિવેદન બાદ થયો હતો વિરોધ

આ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. ટીએમસી નેતાના આ નિવેદન બાદ મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ વાત પર ભાજપે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા સરકાર આદિવાસી વિરોધી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે