રાષ્ટ્રપતિ અંગે કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા ટીએમસી નેતા અખિલ ગીરીએ કહ્યું - હું દિલગીર છું


  • Published By :
  • Published Date : 2022-11-12 17:02:15

મમતા બેનર્જી સરકારના નેતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. નંદીગ્રામ ખાતે આયોજીત સભામાં સંબોધન કરતી વખતે અખિલ ગીરીએ રાષ્ટ્રપતિને લઈ શરમજનક ટિપ્પણી કરી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. અખિલ ગીરીએ પોતાના આ નિવેદનને લઈ માફી પણ માગી લીધી છે. 


રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો હું માફી માગું છું - અખિલ ગિરી   

પોતાની વાત રજૂ કરતા અખિલ ગીરીએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈનું નામ લીધું ન હતું. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો તે માટે હું માફી માગું છું. પોતાના સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અને રાષ્ટ્રપતિ પદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે.

   

નિવેદન બાદ થયો હતો વિરોધ

આ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. ટીએમસી નેતાના આ નિવેદન બાદ મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ વાત પર ભાજપે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા સરકાર આદિવાસી વિરોધી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.